સુરતમાં રાજસ્થાનના કોંગ્રેસના મુખ્યમંત્રી પત્રકાર પરિષદને સંબોધી,ભાજપ પર કર્યાં પ્રહાર
દક્ષિણ ગુજરાતના પ્રવાસ આવેલા રાજસ્થાનના કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલ સત્તામાં આવતા જ ગાંધીના ફોટાઓને હટાવી નાખ્યા છે. આને ગુજરાત ક્યારેય સાખી નહી લે. ભાજપ દ્વારા જે સ્થિતિ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઊભી કરી છે. તેના કારણે લોકોમાં ભારે રોષ પરિવર્તની ઈચ્છા છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહના કાર્યક્રમ પુરા નહીં થાય જાય ત્યાં સુધી તારીખ જાહેર કરવાના નથી. ભારતીય જનતા પાર્ટી સત્તા પર ટકી રહેવા માટે કોઈપણ પ્રકારનો પ્રયાસ કરે છે. તેઓ એક પ્રકારે ડરનો માહોલ ઊભો કરે છે. આજે ગુજરાતની અંદર અને દેશમાં ભાજપની કાર્યાલય ફોર સ્ટાર જેવી બની રહી છે. આ બધા રૂપિયા ઉદ્યોગપતિઓને ધમકાવીને તેમની પાસેથી લેવામાં આવી રહ્યા છે.
અહીં લોકશાહી જેવું કશું જ રહ્યું નથી માત્ર કાળા ઝંડા બતાવનારાઓને પાસામાં ધકેલી દેવાનું કામ ભાજપની સરકાર કરી રહી છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પણ અમિત શાહ દ્વારા ગુજરાતમાં ૧૫૦ બેઠકોનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું. પરંતુ તમે સૌ જાણો છો કે માત્ર ૯૯ બેઠકો ઉપર આવીને ઊભી રહી ગઈ હતી. આ વખતે એનાથી પણ ઓછી બેઠકો ભારતીય જનતા પાર્ટીની આવશે. માત્ર અમિત શાહ હવા બનાવવાનો પ્રયાસ કરે છે પરંતુ ગઈ વખતે પણ ગુજરાતની પ્રજાએ તેમને એક પ્રકારે જાકારો આપી દીધો હતો. અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં તમામ ક્ષેત્રોની અંદર ખૂબ કામ થયા છે.
રાહુલ ગાંધીએ જે આઠ વચન આપ્યા છે. તે તમામ રાજસ્થાનમાં પૂર્ણ કરવામાં આવ્યા છે. તે વચનો ગુજરાતમાં પણ પૂર્ણ કરીશું. સરકારી પૈસે ભારતીય જનતા પાર્ટી પોતાનો પ્રચાર પૂર્ણ કરશે અને ત્યારબાદ ચૂંટણીની તારીખ જાહેર કરશે. આદિવાસી નેતા આનંત પટેલ ઉપર થયેલો હુમલો અને વડાપ્રધાનને કાળા ઝંડા બતાવનાર કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જે થઈ રહ્યું છે તે દુઃખદ છે. ટીકા કરવું ધારણા પ્રદર્શન કરવા આલોચના કરવું હોય તો લોકશાહીનું ઘરેણું છે. એવા યુવાનોને પાસા હેઠળ ધકલી દેવા એ ખરેખર યોગ્ય નથી
Recent Comments