અમરેલી

સાવરકુંડલા આકાશી મેલડીધામ ખાતે આગામી રવિવારે કાળી ચૌદશ નિમિતે માતાજીનો નવરંગો માંડવો યોજાશે

સાવરકુંડલા મહુવા રોડ બાયપાસ ખાતે આવેલ સુપ્રસિદ્ધ હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર ખાતે આગામી તારીખ 19/10 રવિવાર ને કાળી ચૌદશ નિમિતે રાત્રે નવ કલાક થી માતા પિતા તથા ભાઈ વિનાની બહેનના વિનામુલ્યે પ્રથમ સર્વજ્ઞાતી સમુહલગ્નના લાભાર્થે આકાશી મેલડી માતાજીનો 12 કલાકનો નવરંગો માંડવો આકાશી મેલડીના મહંત કાનબાપુના સાનિધ્યમાં યોજાશે આતકે માતાજી ના દર્શન, પૂજન અર્ચન, ધ્વજારોહણ, માંડવો, મહાપ્રસાદ, મહા આરતી વગેરે ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે રાત્રીના 12 કલાક માંડવાના કલાકાર રાવળદેવ સંજયભાઈ બુધેલ અને તેમની સંગીતમય શૈલીની ટીમ ઉપસ્થિત રહેશે આકાશી મેલડી ધામ ખાતે નવરંગો માંડવો તથા મહાપ્રસાદ માં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેશે તેમ મેલડી ધામ સેવક અર્જુનગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.

Related Posts