fbpx
રાષ્ટ્રીય

પુડ્ડુચેરીમાં રાષ્ટ્રપતિ લાગુઃ મોદી સરકારે મંજૂરી આપી

કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કોંગ્રેસનાં નેતૃત્વ હેઠળનાં નારાયણસામી સરકારનાં પતન પછી, ભાજપે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરવાનો ઇનકાર કર્યો છે. રાજકીય ગરમા-ગરમી વચ્ચે કેન્દ્રીય કેબિનેટે બુધવારે પુડ્ડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની મંજૂરી આપી હતી.

કોંગ્રેસ-ડીએમકે ગઠબંધન સરકારનાં પતન પછી ઉપરાજ્યપાલે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી. અગાઉ એવું માનવામાં આવતું હતું કે, હવે ભાજપ અહીં સરકાર બનાવવાનો દાવો કરશે, પરંતુ પુડ્ડુચેરીનાં પ્રદેશ અધ્યક્ષ વી સમિનાથન (વી સમિનાથન) એ આ અટકળોને ફગાવી દીધી હતી. સમિનાથને કહ્યું કે, અમારી પાર્ટી અહીં સરકાર બનાવવાનો દાવો કરશે નહીં, કેમ કે ભાજપને શોર્ટ-કટ પર વિશ્વાસ નથી. આ પછી, લેફ્ટનન્ટ ગવર્નર તમિલિસાઈ સૌંદર્યરાજને પુડ્ડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણનો પત્ર કેન્દ્ર સરકારને મોકલ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિધાનસભામાં વિશ્વાસમત ગુમાવ્યા બાદ પુડ્ડુચેરીનાં મુખ્યમંત્રી વી નારાયણસામી અને તેમના મંત્રીપરિષદનું રાજીનામું સ્વીકારી લીધુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે જારી કરેલા એક જાહેરનામામાં કહ્યું છે કે, રાષ્ટ્રપતિએ ૨૨ ફેબ્રુઆરીથી પુડ્ડુચેરીનાં મુખ્યમંત્રી વી નારાયણસામી સહિતનાં તેમના પ્રધાનોનાં રાજીનામાને સ્વીકારી લીધા છે.

વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરતા પહેલા મુખ્યમંત્રી નારાયણસામીનાં રાજીનામાંને કારણે સોમવારે કોંગ્રેસ સરકાર પુડ્ડુચેરીમાં તૂટી ગઇ હતી. તાજેતરમાં, કેન્દ્રનાં શાસિત પ્રદેશની સરકાર કોંગ્રેસનાં અનેક ધારાસભ્યો અને બહારથી સમર્થન આપી રહેલા ડીએમકેનાં એક ધારાસભ્યનાં રાજીનામાંને કારણે લઘુમતીમાં આવી ગઇ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/