ચૂંટણી પંચે ભાજપના નેતા રાહુલ સિન્હાના પ્રચાર પર ૪૮ કલાકનો પ્રતિબંધ મુક્યો
પશ્ચિમ બંગાળમાં પાંચમા તબક્કાની ચૂંટણી યોજાવાની છે. આ માટે ચૂંટણી પ્રચાર ચાલુ છે. આ બધાની વચ્ચે ચૂંટણી પંચ નેતાઓના વિવાદિત નિવેદનો અંગે કડક બન્યું છે. મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર ૨૪ કલાકના પ્રતિબંધ પછી ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટીના નેતા રાહુલ સિન્હા પર ૪૮ કલાકનો પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ બપોરે ૧૨થી ૧૫ એપ્રિલ બપોર સુધી લાગુ રહેશે. આયોગ કૂચ બિહાર હિંસા અંગે સિન્હાની ટિપ્પણી પછી પંચે આ પ્રતિબંધ લગાવ્યો છે.
ભાજપના વરિષ્ઠ નેતા રાહુલ સિન્હાએ સોમવારે કહ્યું હતું કે, જાે કેન્દ્રીય બળોને ઉચિત લાગશે તો તેઓ જિલ્લામાં ચૂંટણીઓમાં છેતરપિંડીના પ્રયાસોને રોકવા માટે ચારથી વધુ લોકોને ગોળી મારી શકે અને તેમની હત્યા કરી શકે છે.
ઉત્તર ૨૪ પરગનાના હાબડામાં સિન્હાએ પત્રકારોને જણાવ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ જે બદમાશોને આશરો આપ્યો છે. તે મતદાન મથકો પર ભાજપના નિર્દોષ સમર્થકો પર ગોળીબાર કરી રહ્યા છે. તેમના ગુંડાઓ સામાન્ય લોકો પાસેથી મતાધિકાર છીનવી રહ્યા છે. કેન્દ્રીય દળોએ આ બદમાશો પર ગોળીબાર કરીને યોગ્ય કામ કર્યું છે.
સિન્હાએ વધુમાં કહ્યું કે, જાે કેન્દ્રીય બળોને ચૂંટણીમાં છેતરપિંડી અટકાવવાના પ્રયત્નોમાં તે જરૂરી લાગ્યું હોત તો તેઓ ચાર કરતા વધુને ગોળી મારી શકે. કદાચ તેઓ સાત કે આઠ લોકોને ગોળી મારીને અને મારી શકતા હતા. સિન્હાના આ નિવેદનને વિવિધ રાજકીય પક્ષો દ્વારા જાેરદાર પ્રતિસાદ મળ્યો હતો.
Recent Comments