સીબીઆઇ ના પૂર્વ ડિરેક્ટર રંજિત સિન્હાનું અવસાન, દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ
સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર અને ૧૯૭૪ બેચના આઈપીએસ અધિકારી રંજિત સિન્હાનું આજે સવારે ૦૪ઃ૩૦ વાગ્યે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું છે. સિન્હા ૨૦૧૨ થી ૨૦૧૪ સુધી સીબીઆઈના ડિરેક્ટર હતા. તેઓ મૂળ બિહારના હતા. રંજિત સિન્હા આઈટીબીપી અને આરપીએફના ડીજી પણ હતા. રંજિત સિન્હાનું મોતનાં કારણની સત્તાવાર પુષ્ટિ મળી નથી.
તેમની કારકીર્દિમાં સિન્હાએ સીબીઆઈના ડાયરેક્ટર, આઇટીબીપી ડીજી જેવા ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા. રંજિત સિન્હા ૧૯૭૪ બેચના આઈપીએસ અધિકારી હતા. સીબીઆઈના ડાયરેક્ટર જનરલ પદ સંભાળતાં પહેલાં, તે ભારત-તિબ્બત બોર્ડર પોલીસ (આઈટીબીપી) ના ડિરેક્ટર હતા.
રંજિત સિન્હા પર પણ ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. સીબીઆઈએ તેમની સામે ભ્રષ્ટાચારના કેસમાં પણ કેસ દાખલ કર્યો હતો. રંજિત સિન્હા પર સીબીઆઈના વડા પદ સંભાળતી વખતે કોલસા ફાળવણી કૌભાંડની તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકાયો હતો. ૨૨ નવેમ્બર ૨૦૧૨ ના રોજ, તેઓને બે વર્ષ માટે સીબીઆઈ ચીફ બનાવવામાં આવ્યા હતા. અગાઉ, તેમણે રેલ્વે પ્રોટેક્શન ફોર્સનું નેતૃત્વ કર્યું હતું અને પટના અને દિલ્હી સીબીઆઈમાં વરિષ્ઠ હોદ્દા પર ફરજ બજાવી હતી.
Recent Comments