fbpx
રાષ્ટ્રીય

કોરોના-રસી લેનાર વિમાન પ્રવાસીઓને દેશમાં રાહત મળવાની સંભાવના

કેન્દ્ર સરકાર એક એવી યંત્રણા લાગુ કરવા વિશે વિચારી રહી છે જેનાથી કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ લેનાર વિમાન પ્રવાસીઓને દેશની અંદર પ્રવાસ કરવા માટે નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ સાથે રાખવાની જરૂર નહીં રહે. કેન્દ્રીય નાગરી ઉડ્ડયન મંત્રાલય તથા આરોગ્ય-કુટુંબ કલ્યાણ મંત્રાલયોના અધિકારીઓ આ વિશે હાલ ચર્ચા-વિચારણા કરી રહ્યાં છે. અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓને પણ આ ચર્ચામાં સામેલ કરવામાં આવ્યા છે.

હાલ ઓડિશા, મેઘાલય અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યો બહારથી આવતા વિમાન પ્રવાસીઓ પાસે કોવિડ-નેગેટિવ રિપોર્ટની માગણી કરે છે. વળી, પ્રવાસીઓનું કોરોના પરીક્ષણ એમણે સફર શરૂ કરી હોય એના ૭૨ કલાકથી વધારે સમય પહેલાનું કરાવેલું હોવું ન જાેઈએ. કોરોના રોગચાળાના ફેલાવાને કારણે સ્થાનિક એરલાઈન કંપનીઓને ભારે આર્થિક ખોટ ગઈ છે. એમણે કેન્દ્રીય નાગરી ઉડ્ડયન મંત્રાલયને કહ્યું છે આ પ્રકારના રાજ્ય સ્તરના નિયમોને કારણે વિમાન પ્રવાસ ઉદ્યોગનો વિકાસ રૂંધાય છે. જે પ્રવાસીઓએ રસીના બંને ડોઝ લઈ લીધા હોય એમને કોવિડ-નેગેટિવ રિપોર્ટ સાથે રાખ્યા વગર પણ પ્રવાસ કરવા દેવો જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/