સિંઘવીની ટ્વીટ- ?ના ઉચ્ચારણથી શક્તિશાળી નહીં બને યોગ, રામદેવે કહ્યું- ભગવાન બધાને સન્મતિ આપે
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યું છે, ભારતમાં પણ અલગ-અલગ જગ્યાએ કોરોના પ્રોટોકોલના અંતર્ગત તેને લઇ આયોજન થઇ રહ્યું છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીના એક ટ્વીટથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. અભિષેક મનુ સિંઘવીએ યોગને લઇ ? અને અલ્લાહનો ઉલ્લેખ કર્યો તો યોગગુરૂ રામદેવે તેમને જવાબ આપ્યો.
કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી એ ટ્વીટ કરી કે ?ના ઉચ્ચારણથી ના તો યોગ વધુ શક્તિશાળી થઇ જશે અને તો અલ્લાહ કહેવાથી યોગની શક્તિ ઓછી થઇ જશે. અભિષેક મનુ સિંઘવીના આ ટ્વીટથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર એક નવો વિવાદ થયો છે. યોગ ગુરૂ રામદેવે આ ટ્વીટ પર પ્રતિક્રિયા પણ આપી છે.
બાબા રામદેવે એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘ઇશ્વર-અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન’. એવામાં ? બોલવામાં મુશ્કેલી શું છે. પરંતુ આપણે કોઇને ખુદા બોલવાથી ના પાડી શકતા નથી. રામદેવે કહ્યું આ બધાએ યોગ કરવા જાેઇએ પછી આ બધાને એક જ પરમાત્મા દેખાશે.
આપને જણાવી દઇએ કે ભારતના નેતૃત્વ બાદથી ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. સોમવારના રોજ દેશના અલગ-અલગ ભાગોમાં કેટલાંય કાર્યક્રમ થઇ રહ્યા છે. આ અવસર પર પીએમ મોદીએ પણ દેશને સંબોધિત કર્યા. પીએમ મોદીએ યોગના દુનિયામાં પ્રસાર, કોરોના કાળમાં તેને એક સુરક્ષાકવચ હોવાની વાત કહી. સાથો સાથ પીએમ મોદીએ એમ-યોગા એપ પણ લોન્ચ કરવાની વાત કહી, જેમાં દુનિયાની અલગ-અલગ ભાષાઓમાં યોગને શીખવાની તક મળશે.
Recent Comments