fbpx
રાષ્ટ્રીય

ભારતે યુએનમાં ડ્રોન હુમલાનો મુદ્દો ઉઠાવ્યોઃ નવી ટેકનોલોજીનો દુરુપયોગ ગંભીર

જમ્મુ અને કાશ્મીરમાં એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાના ષડયંત્રનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ગૂંજ્યો છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું કે વ્યૂહાત્મક અને કમર્શિયલ સંપત્તિઓ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે હથિયારબંધ ડ્રોનના ઉપયોગની સંભાવના પર વૈશ્વિક સમુદાયે ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે.
ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા) વીએસકે કૌમુદીએ કહ્યું કે આજે આતંકવાદના પ્રચાર અને કેડરની ભરતી માટે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો દુરઉપયોગ થઈ રહ્યો છે. આતંકવાદને ફંડિંગ માટે નવી ચૂકવણી વિધિઓ અને ક્રાઉડફંડિગ પ્લેટફોર્મનો ઉપયોગ થઈ રહ્યો છે અને આતંકીઓ હવે ડ્રોન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે.

વીએસકે કૌમુદીએ કહ્યું કે ઓછા ખર્ચવાળો વિકલ્પ હોવાના કારણે આતંકીઓ ડ્રોનનો ઝડપથી ઉપયોગ કરી રહ્યા છે અને તે સરળતાથી ઉપલબ્ધ પણ છે. ડ્રોન દ્વારા આતંકીઓ હથિયાર કે વિસ્ફોટકો એક જગ્યાથી બીજી જગ્યાએ સરળતાથી મોકલી રહ્યા છે, જે દુનિયાભરમાં સુરક્ષા એજન્સીઓ માટે જાેખમ અને પડકાર બની ગયો છે.
ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ કૌમુદીએ કહ્યું કે રણનીતિક અને કમર્શિયલ સંપત્તિઓ વિરુદ્ધ હથિયારબંધ ડ્રોનના ઉપયોગ પર ધ્યાન આપવાની જરૂર છે. અમે સરહદ પારથી હથિયારોની તસ્કરી માટે ડ્રોનનો ઉપયોગ કરનારા આતંકીઓને જાેયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/