fbpx
રાષ્ટ્રીય

પૂર્વ કેન્દ્રીયમંત્રી પી.રંગરાજન કુમારમંગલમના પત્નીની હત્યા કરાઇ

દિવંગત પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. રંગરાજન કુમારમંગલમના પત્ની કિટ્ટી કુમારમંગલમની મંગળવારે રાતે દિલ્હીના વસંત વિહાર ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને હત્યા કરવામાં આવી હતી. હત્યાના આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવી છે અને અન્ય ૨ આરોપીઓની તપાસ ચાલુ છે.

દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે ૬૭ વર્ષીય કિટ્ટી કુમારમંગલમના ઘરમાં લૂંટના ઈરાદાથી ઘૂસેલા બદમાશોએ તેમની હત્યા કરી દીધી હતી. તેઓ વસંત વિહાર ખાતે આવેલા પોતાના આવાસમાં બીજા માળે રહેતા હતા. કિટ્ટીના પતિ પી. રંગરાજન કુમારમંગલમ અટલ સરકારમાં મંત્રી હતા અને કેન્સરના કારણે તેમનું અવસાન થયું હતું.

મંગળવારે રાતે આશરે ૯ઃ૦૦ કલાકે કિટ્ટી કુમારમંગલમ સાથે ઘરમાં નોકરાણી પણ હાજર હતી. નોકરાણીએ જણાવ્યું કે, મંગળવારે રાતે આશરે ૯ઃ૦૦ કલાકે ધોબી આવ્યો એટલે તેણે દરવાજાે ખોલ્યો હતો. બાદમાં ઘોબી તેને ખેંચીને બાજુના રૂમમાં લઈ ગયો હતો અને બાંધી દીધી હતી. તે સમયે બીજા બે યુવાનો દાખલ થયા હતા અને તેમણે તકિયા વડે મોઢું દબાવીને કિટ્ટીની હત્યા કરી દીધી હતી.

પોલીસના કહેવા પ્રમાણે તેમને રાતે ૧૧ઃ૦૦ કલાકે આ અંગે સૂચના મળી હતી. નોકરાણીએ કોઈક રીતે પોતાને ખોલીને બૂમાબૂમ કરી હતી. નોકરાણીના નિવેદન બાદ પોલીસે રાતમાં જ રાજૂ નામના ધોબીની ધરપકડ કરી હતી. ૨૪ વર્ષીય રાજૂ વસંત વિહારના ભંવર સિંહ કેમ્પસમાં રહે છે. કેસમાં સામેલ અન્ય ૨ યુવકોની ઓળખ મેળવી લેવાઈ છે અને તેમની તપાસ ચાલી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/