ડોનાલ્ડ ટ્રમ્પે જાે બાઇડન પર નિશાન સાધ્યું, કહ્યું- અફઘાનિસ્તાન છોડવું એ અમેરિકી ઈતિહાસની સૌથી શરમજનક ઘટના
અફઘાનિસ્તાનથી અમેરિકી સૈન્ય પરત બોલાવવાના ર્નિણય મુદ્દે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયા હતા. તેમણે વર્તમાન રાષ્ટ્રપતિ જાે બાઇડન પર નિશાન સાધતા કહ્યું હતું કે અફઘાનિસ્તાનથી પરત ફરવું એ અમેરિકી ઈતિહાસની સૌથી શરમજનક ઘટના છે.આની પહેલા બાઇડને સોમવારે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાલિબાન સાથે કરાયેલી ડીલ તેમને વારસામાં મળી છે. આ ડીલની વાસ્તવિકતા એ હતી કે ૧ મે પછી અફઘાનિસ્તાનમાં સીઝફાયર અથવા અમેરિકી સેનાની સુરક્ષા માટે કોઇપણ પ્રકારના સમાધાનનો ઉલ્લેખ કરાયો નહતો. હઝારા સમુદાયના નેતાનું સ્ટેચ્યું વિસ્ફોટકોથી ઉડાવ્યુંઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન શરૂ થયા પછી ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે. તાલિબાને બામિયાનમાં હઝારા સમુદાયના નેતા અબ્દુલ અલી મઝારીનું સ્ટેચ્યૂ વિસ્ફોટકોથી ઉડાવી દીધું છે. આ સમગ્ર ઘટના અંગે હ્યૂમન રાઇટ્સ એક્ટિવિસ્ટ સલીમ જાવેદે શેર કરી છે. તમને જણાવી દઇએ કે આ એ જ સ્થળ છે જ્યાં તાલિબાને ૨૦ વર્ષ પહેલા બુદ્ધની પ્રતિમાઓને વિસ્ફોટકોથી ઉડાવી દીધી હતી.કોણ હતા અબ્દુલ અલી મઝારીઃમઝારી હઝારા સુમદાયની હિઝ્બ-એ-વહદત પાર્ટીના નેતા હતા. તાલિબાને ૧૯૯૫મા તેમની હત્યા કરી હતી. છેલ્લા ઘણા વર્ષોથી તાલિબાનીઓ હઝારા સમુદાયને નિશાન બનાવતું રહ્યું છે. અફઘાનિસ્તાનની કુલ ૩.૬૦ કરોડ વસતિનો ૯% ભાગ હઝારા સમુદાયનો છે, પરંતુ આ અલ્પસંખ્યકોને રક્ષણ આપવાની જગ્યાએ ત્યાંના કેટલાક અસામાજિક તત્વો એમને હેરાન કરતા રહે છે. બામિયાનમાં મોટાભાગે હઝારા શિયા મુસ્લિમ રહે છે. જેથી તે મુસ્લિમ કટ્ટરપંથિઓના નિશાન પર રહે છે. મહિલા ન્યૂઝ એન્કર્સ પર પ્રતિબંધઃતાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલા ન્યૂઝ એન્કર્સ પર પ્રતિબંધ લાદ્યો છે. મહત્ત્વપૂર્ણ વાત એ રહી કે છેલ્લા ૨૪ કલાક પહેલાં એક બાજુ તાલિબાને મહિલાઓને સ્વતંત્રતા આપવાનો દાવો કર્યો હતો અને બીજી બાજુ, આ પ્રમાણે ર્નિણય લીધો છે. તાલિબાને મંગળવારે જ કહ્યું હતું કે તે મહિલાઓ પર દબાણ નહીં બનાવે, આની સાથે જ સરકારમાં સામેલ કરવાની અપીલ પણ કરી હતી. સલિમા નઝારીએ તાલિબાન વિરૂદ્ધ લડત આપવા ૬૦૦ લોકોનું સૈન્ય તૈયાર કર્યું છેઃ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (છૈંસ્ઁન્મ્)ના પ્રવક્તા સજ્જાદ નોમાનીનું તાલિબાન અંગે ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. નોમાનીઅ તાલિબાનને અભિનંદન પાઠવ્યા હતા. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને યોગ્ય ગણાવતા તેમણે કહ્યું છે કે હિન્દી મુસ્લિમ તાલિબાનને સલામ કરે છે.બ્રિટને કહ્યું છે કે તે ૨૦,૦૦૦ અફઘાન શરણાર્થીઓના પુનર્વસનની વ્યવસ્થા કરશે, જેમાં ધાર્મિક આધાર પર મહિલાઓ અને લઘુમતીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે ૨૪ ઓગસ્ટે એક ખાસ સેશનનું આયોજન કર્યું છે. મુલ્લા બરાદર અખુંદ રાષ્ટ્રપતિ બને એવી સંભાવનાઃઅફઘાનિસ્તાનમાં હવે તાલિબાન સરકાર બનવાની તૈયારીમાં છે. આ ચરમપંથી સંગઠનના સહ-સંસ્થાપક અને રાજનૈતિક પ્રમુખ મુલ્લા બરાદર અખુંદ દોહાથી કંદહાર પરત ફર્યા છે. તાલિબાનના શાસનમાં તે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી શકે છે.બીજી બાજુ, ભારત અને અમેરિકા પોત-પોતાના લોકોને કાબુલથી બહાર કાઢવામાં કાર્યરત છે. એવામાં અમેરિકી સેનાએ અફઘાનિસ્તાનથી મંગળવારે ૧૩ ફ્લાઇટ્સ દ્વારા પોતાના ૧૧૦૦ લોકોને એરલિફ્ટ કર્યા હતા. આની સાથે જ અમેરિકાએ અત્યારસુધી કુલ ૩૨૦૦ લોકોને ત્યાંથી બહાર કાઢ્યા છે.તાલિબાનનો દાવો – અફઘાન ભૂમિનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ નહીં થવા દઈએઃ અફઘાનિસ્તાન પર કબજાે કર્યા બાદ તાલિબાન પ્રવક્તા અને તાલિબાન કલ્ચર કાઉન્સિલના વડા ઝબીઉલ્લાહ મુજાહિદ મંગળવારે પ્રથમ વખત વિશ્વ સમક્ષ હાજર થયા હતા. ઝબીઉલ્લાહે એક પત્રકાર પરિષદ યોજીને તાલિબાન શાસન માટેનો રોડમેપ રજૂ કર્યો અને કહ્યું, ‘અમે કોઈ પ્રત્યે દ્વેષ નહીં રાખીએ. અમને બાહ્ય કે આંતરિક દુશ્મનો નથી જાેઈતા. આની સાથે જ તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ કરાશે નહીં.અમરુલ્લા સાલેહે પોતાને અફઘાનિસ્તાનનો રાષ્ટ્રપતિ જાહેર કર્યોઃ એક તરફ, અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન પ્રસ્થાપિત થઈ રહ્યું છે. એવામાં ઉપ-રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા છે. “રાષ્ટ્રપતિ અશરફ ગની દેશની બહાર છે, તેથી જ બંધારણ મુજબ હવે હું રાષ્ટ્રપતિ છું. હું દરેકને સમર્થન આપવા માટે અપીલ કરું છું.તાલિબાનની રાજધાની કાબુલ પર કબજાે કર્યા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ત્રણ દિવસ પહેલાં દેશ છોડી દીધો હતો. ત્યારે એવી અટકળો હતી કે ઉપ-રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ પણ તેમની સાથે અફઘાનિસ્તાન છોડી ગયા હતા, પરંતુ સાલેહ અંગે કહેવાઈ રહ્યું છે કે તે હાલમાં પંજશીરમાં છે, જ્યાં તેઓ તાલિબાન સામે આગળની રણનીતિ તૈયાર કરી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ સર્જાયેલી પરિસ્થિતિ અંગે મંગળવારે સુરક્ષા મુદ્દે કેબિનેટ સમિતિ (ઝ્રઝ્રજી)ની બેઠક યોજી હતી. આ સમિતિ રાષ્ટ્રીય સુરક્ષાની બાબતોનું ધ્યાન રાખતી સૌથી મોટી સરકારી સંસ્થા છે. બેઠક દરમિયાન વડાપ્રધાને અફઘાનિસ્તાન સાથે જાેડાયેલા અધિકારીઓને આગામી દિવસોમાં ત્યાંથી ભારતીયોની સલામત પરત લાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું.એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને કહ્યું હતું કે ભારતે માત્ર તેના લોકોની રક્ષા કરવી જાેઈએ, પણ આપણે ભારતમાં આવવા માગતા શીખ અને હિન્દુ લઘુમતીઓને પણ આશ્રય આપવો જાેઈએ. આપણે આપણાં અફઘાન ભાઈઓ અને બહેનોને પણ શક્ય તમામ મદદ આપવી જાેઈએ, જેઓ ભારત પાસે અપેક્ષા રાખે છે.કાબુલથી ૧૫૦ ભારતીયો સ્વદેશ પરત ફર્યા ઃ એરફોર્સ ગ્લોબમાસ્ટર મંગળવારે અફઘાનિસ્તાનમાં ભારતના રાજદૂત રુરેન્દ્ર ટંડન સહિત ૧૫૦ લોકોને લઈને દિલ્હીના હિન્ડન એરબેઝ પર પહોંચ્યા હતા. અહીંથી લોકોને બસ અને અન્ય વાહનો દ્વારા તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. ત્યારે એરબેઝની બહાર હાજર લોકો ભાવુક થઈ જતાં તેમણે જય શ્રીરામના નારા પણ લગાવ્યા હતા.ન્યૂઝ એજન્સી છદ્ગૈંનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં ફસાયેલા બાકીના ભારતીયો પણ સુરક્ષિત વિસ્તારમાં છે અને તેમને પણ એક-બે દિવસમાં એરલિફ્ટ કરાશે.
Recent Comments