CERCનું રિસર્ચ પ્રમાણે જાણીતી બ્રાન્ડની વેફરમાં સોડિયમનું પ્રમાણ વધારે હોવાનું ખુલ્યું
ચિપ્સમાં મીઠાનું પ્રમાણ ચકાસવા માટે ઝ્રઈઇઝ્રએ અગાઉ જૂન-જુલાઈ ૨૦૧૫માં બાલાજી વેફર્સ, રિયલ નમકીન, બિંગો!, પારલે’સ વેફર્સ, લે’ઝ અને અંકલ ચિપ્સનું પરીક્ષણ કર્યું હતું, જેમાં આ વખતે પણ અંકલ ચિપ્સમાં સોડિયમ અગાઉ ની સામે વધુ મળી આવ્યું હતું. રિયલ નમકીન, બાલાજી વેફર્સ અને બિંગોમાં પણ અગાઉની તુલનાએ વધુ સોડિયમ મળી આવ્યું હતું. બાલાજીમાં અગાઉની સરખામણીએ સોડિયમનું પ્રમાણ ઊંચું મળ્યું હતું, જ્યારે રિયલ બ્રાન્ડમાં અગાઉની સામે અને બિંગોમાં અગાઉની સામે વધુ સોડિયમ મળ્યું હતું. એકમાત્ર પારલે બ્રાન્ડની વેફર્સમાં સોડિયમના પ્રમાણમાં સુધારો જાેવા મળ્યો હતો. અગાઉની સરખામણીમાં હાલમાં વધુ માત્રામાં સોડિયમ મળ્યું હતું, જે હાલના વૈશ્વિક માપદંડ કરતાં ઓછું છે, જે દર્શાવે છે કે લગભગ ૬ વર્ષ થવા છતાં આ બ્રાન્ડ્સની વેફરમાં સોડિયમ કન્ટેન્ટમાં કોઈ ઘટાડો કરાયો નથી. હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં તમારામાંથી મોટા ભાગના લોકો અથવા તમારા આસપાસના લોકો ઉપવાસ કરતા હશે. ઉપવાસ દરમિયાન સામાન્ય રીતે લોકો બટાટા-કેળાની વેફર વધુ પ્રમાણમાં આરોગતા હોય છે. આ ઉપરાંત અન્ય દિવસોમાં પણ વેફરનું સેવન લોકો કરતા હોય છે. એવામાં તે ઘણા બધા લોકોના દૈનિક આહારનો ભાગ બની ગઈ છે, પરંતુ તમને જાણીને આંચકો લાગશે કે કેવી રીતે જાણીતી વેફર બ્રાન્ડ્સ ચટપટા નાસ્તામાં તમને ધીમું ઝેર પીરસી રહી છે. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે વેફરની ૯ બ્રાન્ડમાં મીઠાનું પ્રમાણ જાણવા પરીક્ષણ કર્યું હતું.
કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે દેશની ૯ જાણીતી બ્રાન્ડની પોટેટો ચિપ્સમાં સોડિયમ/મીઠાનું પ્રમાણ જાણવા પરીક્ષણ કર્યું હતું, જેમાં ઉૐર્ંના વૈશ્વિક બેન્ચમાર્ક પ્રમાણે ચટપટા નાસ્તામાં ૧૦૦ ગ્રામની સામે સોડિયમ મહત્તમ પ્રમાણ ૫૦૦ મિલીગ્રામ હોવું જાેઈએ. એની સામે ૮ બ્રાન્ડ્સમાં આ પ્રમાણ વધારે જાેવા મળ્યું હતું. માત્ર એક બ્રાન્ડની વેફરમાં જ આ પ્રમાણ ઉૐર્ંના વૈશ્વિક બેન્ચમાર્કથી ઓછું મળી આવ્યું હતું. ઝ્રઈઇઝ્રના પરિક્ષણમાં અંકલ ચિપ્સમાં સૌથી વધુ સોડિયમ મળી આવ્યું હતું. જ્યારે પારલે વેફરમાં ઉૐર્ંના બેન્ચમાર્કથી ઓછું સોડિયમ મળ્યું હતું. સમ્રાટની ચિપ્સમાં, હલ્દીરામ હલકે ફૂલકેમાં પણ વધારે માત્રામાં સોડિયમ મળ્યું, જ્યારે બાલાજી અને પારલે દ્વારા પેકેજિંગ પર સોડિયમની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. ઝ્રઈઇઝ્રના પરીક્ષણમાં આ જાણીતી બ્રાન્ડ્સના પેકિંગ પર લખવામાં આવેલા સોડિયમ/મીઠાના પ્રમાણ કરતાં એમાં વધારે પ્રમાણ મળી આવ્યું હતું. ૭માંથી ૬ બ્રાન્ડમાં લેબલ કરતાં વધુ સોડિયમ મળ્યું હતું. જ્યારે બે બ્રાન્ડ્સ પારલે અને બાલાજીમાં સોડિયમ કન્ટેન્ટ લખેલું નહોતું. માત્ર અંકલ ચિપ્સમાં પેકિંગ પર લખેલા થી ઓછું સોડિયમ મળ્યું હતું. જ્યારે સમ્રાટ ચિપ્સમાં પેકિંગ પર લખેલાની સામે ચાર ગણું વધુ સોડિયમ મળ્યું. જ્યારે હલ્દીરામ હસકે ફૂલકેમાં લેબલ પર જાહેર કરેલાની સરખામણીએ બમણું સોડિયમ મળ્યું હતું. ખોરાકમાં જરૂર કરતાં વધારે પ્રમાણમાં સોડિયમ/મીઠાનું સેવન કરવાથી લાંબે ગાળે હૃદયરોગ તથા કિડની સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. તે રુધિરાભિસરણ તંત્ર અને નર્વસ સિસ્ટમ બંને પર અસર કરે છે. મીઠું વધુપડતું લેવાથી બ્લડપ્રેશર, સ્ટમક કેન્સર, ઓબેસિટી, વજન વધવું અને દમ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. હ્લજીજીછૈંની ગાઈડલાઈન્સ મુજબ, કોઈ પ્રોડક્ટમાં ૧.૫ગ્રામ/૧૦૦ ગ્રામથી વધુ મીઠું (૬૦૦મિલીગ્રામ સોડિયમ/૧૦૦ ગ્રામ) હોય તો એ મીઠાનું સૌથી ઊંચું પ્રમાણ ધરાવતી પ્રોડક્ટ કહેવાય. જ્યારે ઉૐર્ંના વૈશ્વિક બેન્ચમાર્કમાં આ પ્રમાણ મહત્તમ ૫૦૦મિલીગ્રામ/ ૧૦૦ ગ્રામ હોવું જાેઈએ.
Recent Comments