શાયર મુનવ્વર રાણાની ધરપકડ પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇનકાર
અખિલ ભારતીય ક્ષેત્રિય મહાસભા યુવા અને હિન્દૂ મહાસભાએ લખનઉંના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો હતો. એસીપી રાઘવેન્દ્ર મિશ્રા હજરતગંજ અનુસાર, મુનવ્વર રાણા વિરૂદ્ધ ધાર્મિક ભાવના ભડકાવવા, સાર્વજનિક શાંતિ વિરૂદ્ધ ગુનો કરવા અને એસસીએસટી હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે આ નિવેદન બાદ દેશભરમાં કેટલીક જગ્યાએ મુનવ્વર રાણા વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન થયા હતા, આટલુ જ નહી લખનઉં સિવાય ગુનામાં પણ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.લખનઉં હાઇકોર્ટે શાયર મુનવ્વર રાણાની ધરપકડ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. મહત્વપૂર્ણ છે કે મુનવ્વર રાણા પર મહર્ષિ વાલ્મીકિની તુલના તાલિબાન સાથે કરવાનો આરોપ છે. આ મામલે લખનઉંની હજરતગંજમાં મુનવ્વર રાણા પર ફરિયાદ દાખલ છે.
મુનવ્વર રાણાની ધરપકડ પર રોક અને ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી આપી હતી પરંતુ હાઇકોર્ટે લખનઉં બેંચે ધરપકડ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. મહત્વપૂર્ણ છે કે મુનવ્વર રાણાએ તાલિબાનની તુલના રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકિ સાથે કરી હતી, જે બાદ તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે કેટલીક જગ્યાએ તેમના વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન પણ થઇ રહ્યો છે. મુનવ્વર રાણાએ એક ચેનલ સાથે વાત કરતા કહ્યુ હતું, વાલ્મીકિ રામાયણ લખ્યા બાદ ભગવાન બન્યા, આ પહેલા તે એક ડાકુ હતા. વ્યક્તિના ચરિત્ર બદલાઇ શકે છે. આ રીતે તાલિબાન અત્યારે આતંકવાદી છે પરંતુ લોકોના ચરિત્ર બદલાઇ જાય છે.
Recent Comments