fbpx
રાષ્ટ્રીય

પેટ્રોલમાં હવેથી ઈથેનોલ મિક્સ કરી ભાવ વધારો કરાયો

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) સુગર મિલો પાસેથી ઇથેનોલ ખરીદે છે. કેબિનેટ દ્વારા લેવામાં આવેલા અન્ય એક ર્નિણય હેઠળ સરકારે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)ને ૨૦૧૪-૧૫થી ૨૦૨૦-૨૧ સુધીના સાત વર્ષો માટે ૧૭,૪૦૮.૮૫ કરોડ રૂપિયાના કમિટેડ પ્રાઇસ સપોર્ટને મંજૂરી આપી છે. આ ઉપરાંત કેબિનેટે શણ પેકેજિંગ મટિરિયલ માટેના રિઝર્વેશન નોર્મ્સને પણ મંજૂરી આપી છે. કોવિડ-૧૯ને કારણે બંધ કરી દેવામાં આવેલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલોપમેન્ટ સ્કીમ(એમપીએલએડીએસ)ને ફરી શરૂ કરવાનો ર્નિણય પણ આજે મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે.

આ સ્કીમ ૨૦૨૫-૨૬ સુધી ચાલુ રાખવામાં આવશે. આ સ્કીમ હેઠળ સાંસદોને નાણાકીય વર્ષમાં બે વખત ૨.૫ કરોડ રૂપિયા એટલે કે સમગ્ર વર્ષમાં કુલ પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.સરકારે પેટ્રોલમાં ભેળવવામાં આવતા ઇથેનોલના ભાવમાં લિટર દીઠ ૧.૪૭ રૂપિયાનો વધારો કર્યો છે. ઇથેનોલનો આ વધારેલા ભાવ ડિસેમ્બરથી શરૂ થતાં માર્કેટિંગ વર્ષ ૨૦૨૧-૨૨થી અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં પેટ્રોલમાં ૮ ટકા ઇથેનોલ ભેળવવામાં આવે છે જે વધારીને ૨૦૨૫ સુધીમાં ૨૦ ટકા કરવાનો લક્ષ્યાંક છે. આગામી વર્ષે આ પ્રમાણ વધારીને ૧૦ ટકા કરવામાં આવશે. પેટ્રોલમાં જેમ ઇથેનોલનું પ્રમાણ વધશે તેમ ભારતની ઓઇલ આયાતનું બિલ ઘટશે. આ ઉપરાંત આનાથી શેરડીના ખેડૂતો અને ખાંડની મિલોને પણ ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા ધરાવતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. આ અંગેની વિગતો આપતા માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ડિસેમ્બર, ૨૦૨૧થી શેરડીના રસમાંથી બનાવવામાં આવતા ઇથેનોલનો ભાવ લિટર દીઠ ૬૨.૬૫ રૂપિયાથી વધારીને ૬૩.૪૫ રૂપિયા કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/