fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીની રાજ્યોના સીએમ સાથે બેઠક

દેશમાં કોરોનાની ચિંતાજનક પરિસ્થિતિની ચર્ચા કરવા માટે આ બેઠક યોજવામાં આવશે. નોંધનીય છે કે સંક્રમિત લોકો અન્ય લોકોમાં જીવલેણ વાયરસ ન ફેલાવે તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના ટેસ્ટ ઝડપી બનાવવા માટે નિર્દેશ આપ્યા પછી આ બેઠક કરશે.ભારતમાં ત્રીજી લહેર આવી ગઈ છે અને એવું પણ માનવામાં આવે છે કે દરરોજ આવતા કેસોની સંખ્યા અહીં અટકશે નહીં, પરંતુ અહીંથી વધુ આગળ વધશે. આવી સ્થિતિમાં, ભારતમાં એક દિવસમાં મહત્તમ કેટલા કેસ આવી શકે છે અને શું આ નવા કેસ માટે આપણું આરોગ્ય તંત્ર તૈયાર છે? પ્રથમ લહેરમાં ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ, ભારતમાં એક દિવસમાં ૯૭ હજાર ૮૯૪ કેસ નોંધાયા હતા.

ગયા વર્ષે, ૭ મેના રોજ એક દિવસમાં સૌથી વધુ ૪ લાખ ૧૪ હજાર ૧૮૮ કેસ આવ્યા હતા અને હવે માનવામાં આવે છે કે ત્રીજી લહેરમાં એક દિવસમાં ૧૪ લાખથી વધુ કેસ આવી શકે છે.ભારતમાં કોરોનાની પ્રથમ લહેર દરમિયાન સંર્ક્મણના દૈનિક કેસોની સંખ્યા ૧૦,૦૦૦ થી ૧ લાખ સુધી પહોંચવામાં ૧૦૩ દિવસનો સમય લાગ્યો હતો. જ્યારે બીજી લહેર દરમિયાન તેને ૪૭ દિવસ લાગ્યા હતા. કોરોના સંક્રમણની ત્રીજી લહેર ગયા વર્ષના બીજી લહેરકરતાં પાંચ ગણી ઝડપથી વધી રહી છે. સંર્ક્મણ વિસ્તરણનો તબક્કો ૨૮ ડિસેમ્બરથી શરૂ થયો હતો. માત્ર ૧૦ દિવસમાં જાેરદાર ઉછાળો આવતા આંકડો ૧ લાખને પાર કરી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોવિડના ૧,૧૭,૧૦૦ નવા કેસ નોંધાયા છે. કોરોનાના નવા પ્રકાર, ર્ંદ્બૈષ્ઠિર્હ વિશે વાત કરીએ તો, દેશમાં ર્ંદ્બૈષ્ઠિર્હ ના ૨,૬૩૦ કેસ નોંધાયા છે. જેમાંથી ૯૯૫ દર્દીઓ સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ ૭૯૭ કેસ છે, જ્યારે દિલ્હીમાં ૪૬૫ કેસ નોંધાયા છે. ભારતમાં આ પ્રકારને કારણે અત્યાર સુધીમાં માત્ર બે જ મૃત્યુ થયું છે, પરંતુ ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. તેથી, હાલમાં ઓમિક્રોનને હળવાશથી લેવા પ્રત્યે બેદરકાર ન રહો.છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે.

આ વચ્ચે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરે તેવી શક્યતા છે. ભારતમાં કોરોનાવાયરસના એક લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. જે બાદ દેશમાં કોવિડ-૧૯ના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને ૩ લાખથી વધુ થઈ ગઈ છે.. આજથી માત્ર ૮ દિવસ પહેલા જ્યાં સંક્રમણના કેસ ૧૦ હજારને પાર કરી ગયા હતા ત્યાં આજે કોવિડના દર્દીઓની સંખ્યા ૧ લાખ એટલે કે ૧,૧૭,૧૦૦ને વટાવી ગઈ છે. કોરોના વાયરસનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી વધી રહેલા કોવિડ કેસ માટે જવાબદાર છે. દેશમાં માત્ર ત્રણ દિવસમાં કોરોનાના કેસમાં ૨૪૩ ટકાનો વધારો થયો છે. ૪ જાન્યુઆરીએ એક જ દિવસમાં ૩૭,૩૭૯ કેસ નોંધાયા હતા. ૫ જાન્યુઆરીએ ૫૮,૦૯૭ કેસ અને ૬ જાન્યુઆરીએ છેલ્લા ૨૪ કલાકમાં ૯૦,૯૨૮ નવા કેસ નોંધાયા હતા. એટલે કે માત્ર ૩ દિવસમાં કોરોના કેસમાં ૨૪૩%નો વધારો નોંધાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/