fbpx
રાષ્ટ્રીય

માર્ચ મહિનાથી દેશના ૧૨થી ૧૪ વર્ષના બાળકોને પણ વેક્સિન આપવાનું શરૂ

દેશમાં રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થયું. દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૧૫૬ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગયા વર્ષે ૧૬ જાન્યુઆરીથી દેશમાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કરોને રસી આપીને રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ એક વર્ષમાં રસીકરણ ઝુંબેશને વેગવંતી બનાવવા માટે સરકારને સખત મહેનત કરવી પડી હતી. એક તરફ લોકોને રસીકરણ વિશે જાગૃત બનાવવું એ એક મોટો પડકાર હતો, તો બીજી તરફ તેની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા.

દેશમાં કોરોના અને તેના નવા પ્રકાર ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવી છે. હાલમાં દેશમાં ૧૫-૧૭ વર્ષની વયના બાળકોને પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આ દરમિયાન, અન્ય એક સારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપના અધ્યક્ષ ડૉ એન કે અરોરાએ જણાવ્યું છે કે ૧૨-૧૪ વર્ષના બાળકોને માર્ચથી રસી આપવાનું શરૂ થઈ જશે. જણાવી દઈએ કે દેશમાં અત્યાર સુધીમાં ૧૫-૧૭ વર્ષના ત્રણ કરોડથી વધુ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે.ર અત્યાર સુધીમાં લગભગ ૪૫% બાળકોને રસી આપવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે ભારતે માત્ર ૧૩ દિવસમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ભારતમાં ૧૫-૧૭ વર્ષના બાળકો માટે રસીકરણ પ્રક્રિયા ૩ જાન્યુઆરીથી શરૂ થઈ છે. ડૉ. અરોરાએ કહ્યું, ‘જાન્યુઆરીના અંત સુધીમાં ૧૫-૧૭ વર્ષની વયના ૭.૪ કરોડ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળશે.’

વધુમાં કહ્યું હતું કે, ‘આ પછી, ફેબ્રુઆરીની શરૂઆતથી અમે આ બાળકોને બીજાે ડોઝ આપવાનું શરૂ કરીશું અને મહિનાના અંત સુધીમાં દરેકને રસીનો બીજાે ડોઝ મળી જશે. તે પછી અમે ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં ૧૨-૧૪ વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ કરી શકીએ છીએ. જેમાં પાંચ મતદાન રાજ્યોમાં તૈનાત મતદાન કર્મચારીઓ અને ૬૦ વર્ષ અને તેથી વધુ વયના લોકોનો સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/