10 કલાક મોબાઇલ ઉપયોગ કરતા હોવ તો સ્ક્રીન ડાયટ શરૂ કરો, તમારી માનસિક સ્થિતિ બગડી શકે છે જાણો કેમ?
કોરોના બાદ લોકો લોકો મોબાઈલ, ઇન્ટરનેટ વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. મોબાઈલ ફોન ઉપરાંત આઈપેડ જેવા ગેઝેટ્સ વધુ ઉપયોગ કરવા લાગ્યા. જેના કારણે તેઓ મોબાઇલ સ્ક્રીન આદિ બની ગયા છે. સૂતી વખતે ઓશિકાની નીચે મોબાઈલ રાખીને સૂઈ જાય છે અને ઉઠતાની સાથે જ મોબાઈલ હાથમાં પકડે છે. આ પ્રકારના લોકો ખરા અર્થમાં મોબાઇલ કે સ્ક્રીનના વ્યસન થઈ ગયા છે.
કેમકે 8 થી 10 કલાક તો કેટલાક 15 કલાક સુધી દિવસમાં મોબાઈલનો ઉપયોગ કર્યા કરે છે જેના કારણે મોબાઈલ નું વળગણ લોકોમાં વધી ગયું છે. મોબાઇલનો ઉપયોગ વધવાના કારણે લોકો પર માનસિક અસરો પણ પડી રહી છે.
કેટલાક લોકોએ સાઇકિયાટ્રિક નો સહારો લેવો પડી રહ્યો છે કારણ કે મોબાઈલ સતત ઉપયોગ કરવાથી સતત ગેમ રમવાથી સતત વ્યસ્ત હોવાથી માનસિક અસરો વિપરીત રીતે પડી રહી છે અને તેના કારણે તેઓનો સ્વભાવ ચીડિયો બની રહ્યો છે
ખાસ કરીને કિશોર ઉંમરના બાળકો પર ગંભીર અસર પડી રહી છે જેઓ પહેલાની સરખામણીમાં વિપરીત અસર વર્તન કરી રહ્યા છે જેથી માતા-પિતા પણ તેમને લઈને સાઇકોલોજી સુધી જતા હોય છે. માટે જો તમે દસથી પંદર કલાક મોબાઈલનો ઉપયોગ કરતા હોવ તો સ્ક્રીન ડાયટ જાતે બનાવો એટલે કે બિનજરૂરી મોબાઈલનો ઉપયોગ ટાળો નહીંતર તમે પણ તેના વ્યસની બની જશો ને મુશ્કેલીમાં મુકાઇ શકો છો
Recent Comments