મોટા સમાચાર – નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવવા વચ્ચે કોંગ્રેસના આ દિગ્ગજ નેતા નારાજ, દિલ્હી પહોંચ્યા
લગભગ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ વાત નક્કી માનવામાં આવી રહી છે ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસના મોટા નેતા ભરતસિંહ સોલંકી આ વાતને લઈને નારાજ થયા છે તેઓ નાખુશ આ વાતને લઈને થયા છે. જેથી તેઓ હાઈકમાન્ડને મળવા માટે દીલ્હી ગયા હતા. હાઈકમાન્ડે સમય ના આપતા ફરી ગુજરાતમાં પરત ફર્યા છે તે પ્રકારની વાત સામે આવી છે. મુલાકાત માટે તેઓ દિલ્હી ગયા હતા માનવામાં એવું પણ આવી રહ્યું છે કે, નરેશ પટેલને લઈને તેઓ મળવા ગયા હોવાથી તેમની સાથે મુલાકાત કરવામાં આવી નહોતી.
નરેશ પટેલની તૈયારીઓ કોંગ્રેસમાં જોડાવવાને લઈને લગભગ પૂર્ણ થઈ ગઈ છે. રાહુલ ગાંધી ગુજરાતમાં આગામી સમયમાં આવતા તેઓ તેમની ઉપસ્થિતમાં કોંગ્રેસમાં જોડાશે.
ત્યારે ભરતસિંહને બીજી બાજુ રાહુલ ગાંધીએ સમય ના આપતા તેઓ દીલ્હી પરત ફર્યા છે. આ એક જ રીઝન નથી આ સિવાય બીજા કારણ પણ તેમના છે કે તેમની પર ફંડના ગોટાળાના આરોપ પણ લાગેલા છે, અગાઉ ચિઠ્ઠીઓ સોનિયા ગાંધીને લખાઈ ત્યારે ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. તેમના વિવિધ બાબતે અનેક વાર દિલ્હી બોલાવી હિસાબો લેવામાં આવ્યા છે. પરંતુ અત્યારની સ્થિતિને જોતા પાર્ટીની અંદર કોઈ પણ વાત તેમની સાંભળવામાં નહીં આવે તેવું લાગી રહ્યું છે.
Recent Comments