વડાપ્રધાન મોદીના હસ્તે ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ-૨૦૨૨નું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદીએ આયુષને લઈને એક ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, કેન્યાના પૂર્વ રાષ્ટ્રપતિની દીકરીની બ્રેન ટેયુમરની સર્જરી થઈ જેના કારણે આંખોથી દેખી શકતી ન હતી. ભારતમાં આયુર્વેદિક ઉપચાર બાદ તેની આંખોની દ્રષ્ટી પાછી આવી છે. પીએમ મોદીએ રામાયણનો એક પ્રસંગ લઈને લોકોને સમજાવ્યું હતું કે, લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થયા ત્યારે હનુમાનજી હિમાલયથી સંજીવની લઈ આવ્યા. આર્ત્મનિભર ભારત ત્યારે પણ હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા મારા મિત્ર છે. એમણે કહ્યું કે હું આજે જે કંઈ છું તેમાં ભારતના શિક્ષકોનો હાથ છે. મારા શિક્ષકો ભારતીય છે. એમણે કહ્યું હું ગુજરાતી થઈ ગયો છું મારૂ નામ ગુજરાતી રાખો.
મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમી પર ગુજરાતી નાતે તુલસીભાઈ નામ આપું છું. તુલસી એ પાંદડૂ છે દરેક પીઢીમાં તુલસીની સેવા થતી હતી.જ્યાં તેમની સાથે ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસ અને મોરેસિયસના પીએમ પણ હાજર રહ્યાં હતા. આયુષ સમિટમાં પીએમ મોદીએ મોટી જાહેરાત કરી છે. ભારતમાં હેલ્થ ટૂરિઝમ વધુ વિકસાવવા ખાસ આયુષ વિઝા કેટેગરી શરૂ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, જે વિગેશી નાગરિકો ભારત આવીને આયુષ ઉપચારનો લાભ લેવા માંગે છે. તેમના માટે સરકાર વધુ એક પહેલ કરી રહી છે. ટુંક સમયમાં ભારત એક વિશેષ આયુષ વિઝા શ્રેણી દાખલ કરવા જઇ રહ્યું છે. આનાથી લોકોને આયુષ દવા માટે ભારતમાં પ્રવાસ કરવાની સુવિધા મળશે. પરંપરાગત દવાએ કેરળ પ્રવાસનને વધારવામાં મદદ કરી છે. આ શક્તિ સમગ્ર ભારતમાં છે, ભારતના ખૂણે ખૂણે છે. ‘હીલ ઇન ઇન્ડિયા’ આ દાયકાની મોટી બ્રાન્ડ બની શકે છે. આર્યુવેદ, યુનાની, સિદ્ધ વગેરે પર આધારિત વેલનેસ સેન્ટર ખૂબ જ લોકપ્રિય બની શકે છે. આયુષ સેક્ટરમાં વૃદ્ધિથી આયુષની માંગથી ગ્રોથ સતત વધશે. ૨૦૧૪ પહેલા આયુષ સેક્ટરમાં ૩ બીલીયન ડોલર કરતા ઓછું હતું, જે ૧૮ બીલીયન ડોલરને પાર કરી ગયું છે. પહેલા જ આમાં અભૂતપૂર્વ તેજી જાેઈ રહ્યા છીએ. આયુષમાં ઈન્વેસ્ટમેન્ટ અને ઈનોવ્શન અસિમિત છે.
સમય આવી ગયો છે કે આયુષમા ઈન્વેસ્ટમેન્ટ વધારવામા આવે. કોણે વિચાર્યું હતું કે આટલી જલ્દી વેક્સિન બની એ પણ ભારતમાં બનીને તૈયાર થઈ જશે. મોડર્ન ફાર્મા કંપની અને વેક્સિન કંપનીઓએ ઈન્વોસ્ટમેન્ટ મળતા કમાલ કરી નાંખી છે. કોરોના મહામારી દરમિયાન હળદરનું એક્સપોર્ટ વધી ગયું. ઈમ્યિનિટી વધારવામાં હવે આયુષ મદદ કરી રહ્યું હતું. આ વિચાર મને ત્યારે આવ્યો કે, જ્યારે સમગ્ર વિશ્વમા મહામારી ફેલાઈ હતી. પ્રથમવાર છે કે, આયુષ સેક્ટર માટે આન્વેસ્ટમેન્ટ સમિટ થાય છે. આપડે જાેયું છે કે અલગ અલગ સેક્ટરમાં ઈન્વેસ્ટમેન્ટ માટે સમિટ થાય છે. ભારતમાં સ્ટાર્ટઅપમાં સ્વર્ણિમ સમય છે. ૨૦૨૨મા ચાર માસમા ભારત ૧૪ સ્ટાર્ટઅપ યુનિકોર્ન ક્લબમાં જાેડાઈ ગયા છે. આયુષ મંત્રાલય ટ્રેડિશનલ મેડિસિનમાં સ્ટાર્ટઅપ માટે અનેક પગલા ભર્યા છે.
ભારતમાં હર્બલનો ખજાનો છે, હિમાલય એના માટે જાણીતું છે, જે એક ગ્રિન ગોલ્ડ છે. મેડિકલ પ્લાન્ટના ખેડૂતો માર્કેટ સાથે જાેડાય. આયુષના પોર્ટલ થકી જાેડાવવા કામ થઈ રહ્યું છે. આયુષ પ્રોડક્ટ બનાવતી કંપનીઓને આયુષનું ઉત્પાદન કરતા ખેડૂતો સાથે જાેડાવા કામ થઈ રહ્યું છે. આયુષમાં ખેડૂતોની આવક વધી શકે છે, રોજગાર પણ વધી શકે છે. પીએમ મોદીની પોતાના સંબોધનમાં મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારત ઉચ્ચતર આયુષ ઉત્પાદ પર આયુષ માર્ક લગાવશે. સમગ્ર વિશ્વમાં આ ઉત્પાદ પર વિશ્વાસ વધે તે માટે આયુષ માર્ક લગાવશે. દેશભરમાં આયુષ પાર્ક પણ ઉભા કરાશે. ભારત એક સ્પેશિયલ આયુષ માર્ક બનાવવા જઈ રહ્યો છે. આયુષ માર્ક મદદરૂપ બની રહેશે. આયુષમાં રીસર્ચ અને એનાલીસીસ માટે આયુષ પાર્ક બનશે. ભારત મેડિકલ ટૂરીઝમ માટે આકર્ષક સ્થળ બન્યું છે. કેરલમાં ટૂરીઝમમાં વેગ આપવા ટ્રેડિશનલ મેડિસિને મદદ કરી છે. પીએમ મોદીની પોતાના સંબોધનમાં અન્ય એક જાહેરાતમાં જણાવ્યું હતું કે, ભારત આયુષ વિઝા કેટેગરી શરૂ કરવા જઈ રહ્યું છે. એનાથી લોકોને આયુષ ચિકિત્સા માટે આવવા જવામાં સરળતા રહેશે.
Recent Comments