fbpx
રાષ્ટ્રીય

૪૨ વર્ષ પહેલા ભેંસના કારણે ટ્રેન દુર્ઘટનામાં ૮૦૦ લોકોના મોત થયા હતા

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના સમાચારે સમગ્ર દેશને આંચકો આપ્યો છે. શુક્રવારે સાંજે લગભગ સાત વાગ્યે આવેલા આ સમાચાર પર માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોએ શોક વ્યક્ત કર્યો છે. બાલાસોર કોરોમંદર એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૩૩ થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. અમેરિકા, સિંગાપોર, માલદીવ સહિત ઘણા દેશોના નેતાઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. જૂન મહિનામાં બનેલી આ દુર્ઘટનાએ ૪૨ વર્ષ પહેલાની ટ્રેન દુર્ઘટનાની યાદ અપાવી દીધી, જેને દેશનો સૌથી દર્દનાક ટ્રેન અકસ્માત કહેવામાં આવે છે. ૬ જૂન ૧૯૮૧ના રોજ બિહારમાં આ ટ્રેન દુર્ઘટનામાં લગભગ ૮૦૦ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બિહારના સહરસામાં ત્યારે થઈ જ્યારે એક પેસેન્જર ટ્રેન બાગમતી નદીમાં પડી. આ અકસ્માત અંગે ઘણા લોકોના અનેક મંતવ્યો છે. કેટલાક કહે છે કે આ અકસ્માત ચક્રવાતને કારણે થયો હતો, જ્યારે કેટલાક કહે છે કે તે અચાનક આવેલા પૂરને કારણે થયો હતો. જ્યારે કોઈ કહે છે કે જાેરદાર વરસાદ પડી રહ્યો હતો ત્યારે અચાનક એક ભેંસ પુલ પર આવી ગઈ અને ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા ટ્રેન નદીમાં પડી ગઈ.

આ સિવાય પણ આવી અન્ય ટ્રેન દુર્ઘટનાઓ સર્જાઈ હતી..
ફિરોઝાબાદ રેલ અકસ્માત (૨૦ ઓગસ્ટ ૧૯૯૫)ઃ ૨૦ ઓગસ્ટ ૧૯૯૫ના રોજ ફિરોઝાબાદમાં એક મોટો રેલ અકસ્માત થયો હતો. દિલ્હી જઈ રહેલી પુરુષોત્તમ એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં કાલિંદી એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ૩૫૮ લોકોના મોત થયા હતા. કહેવાય છે કે આ અકસ્માત મેન્યુઅલ મિસ્ટેકને કારણે થયો હતો. ગાય સાથે અથડાઈને કાલિંદી એક્સપ્રેસની બ્રેક જામ થઈ ગઈ. આ પછી ટ્રેન પાટા પર જ રોકાઈ ગઈ. બીજી તરફ પુરુષોત્તમ એક્સપ્રેસને પણ આ જ ટ્રેક પર દોડવાની મંજૂરી આપવામાં આવી હતી. આ દરમિયાન પુરૂષોત્તમ એક્સપ્રેસે કાલિંદી એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.
ખન્ના ટ્રેન દુર્ઘટના (૨૬ નવેમ્બર ૧૯૯૮)ઃ ૨૬ નવેમ્બર ૧૯૯૮ના રોજ, પંજાબના ખન્ના ખાતે જમ્મુ તાવી-સિયાલદાહ એક્સપ્રેસ અમૃતસરથી જતી ફ્રન્ટિયર ગોલ્ડન ટેમ્પલ મેલના ત્રણ પાટા પરથી ઉતરેલા કોચ સાથે અથડાઈ ત્યારે ૨૧૨ લોકોના મોત થયા હતા. તૂટેલા ટ્રેકને કારણે ગોલ્ડન ટેમ્પલ મેલ પાટા પરથી ઉતરી ગયો હતો અને તે જ સમયે પાછળથી આવતી જમ્મુ તાવી-સિયાલદહ એક્સપ્રેસ તેની સાથે અથડાઈ હતી.
અવધ-આસામ એક્સપ્રેસ અને બ્રહ્મપુત્રા મેલની ટક્કર (૨ ઓગસ્ટ ૧૯૯૯)ઃ અવધ-આસામ એક્સપ્રેસ અને બ્રહ્મપુત્રા મેલ બિહારના કટિહાર ડિવિઝનના ગેસલ ખાતે અથડાયા હતા. આ અકસ્માતમાં ૨૬૮ લોકોના મોત થયા હતા જ્યારે ૩૫૯ લોકો ઘાયલ થયા હતા. બ્રહ્મપુત્રા મેલ ભારતીય સૈન્ય અને સૈનિકોને આસામથી સરહદ તરફ લઈ જઈ રહ્યો હતો, જ્યારે અવધ આસામ એક્સપ્રેસ ગુવાહાટી જઈ રહી હતી. આસામ એક્સપ્રેસ ગુવાહાટી નજીક ગેસલ નામના સ્ટેશન પર ઉભી હતી. આ અકસ્માત પણ સિગ્નલ ફેલ થવાના કારણે થયો હતો. મેન્યુઅલ મિસ્ટેકને કારણે બ્રહ્મપુત્રા મેલને પણ તે જ ટ્રેક પર જવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી. બ્રહ્મપુત્રા મેલ સામેથી આસામ એક્સપ્રેસને ટક્કર મારી હતી.
જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ ટ્રેન અકસ્માત (૨૮ મે ૨૦૧૦)ઃ ૧૩ વર્ષ પહેલા જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ ટ્રેન અકસ્માત થયો હતો. મુંબઈ જતી હાવડા કુર્લા લોકમાન્ય તિલક જ્ઞાનેશ્વરી સુપર ડીલક્સ એક્સપ્રેસ વિસ્ફોટના કારણે પશ્ચિમ મિદનાપુરના ખેમાશુલી અને સરદિહા વચ્ચે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ પછી અડધી રાત્રે એક માલગાડીએ ટક્કર મારી. આ અકસ્માતમાં ૧૭૦ લોકોના મોત થયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/