fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં મકાનનાં વાસ્તાનું નિમંત્રણ આપવા આવેલા સસરાનું ઢીમ ઢાળી દીધું

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મંગળવારે રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. અહીં જમાઈએ પોતાના વૃદ્ધ સસરાની માથા પર ઇંટોના ઘા ઝીંકી ર્નિમમ હત્યા કરી નાખી હતી. આ બનાવે જિલ્લામાં ખૂબ ચકચાર જગાવી છે. આ બનાવમાં જમાઈ પણ ઇજાગ્રસ્ત થયો હોવાથી તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પોલીસે જમાઈ સામે હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી છે. સસરા-જમાઈ વચ્ચે છેલ્લા આઠ વર્ષથી અબોલા હતા. દરમિયાન સસરા પોતાની પુત્રીને મકાનના વાસ્તુ માટેનું નિમંત્રણ આપવા આવતાં મંગળવારે ઝઘડો થયો હતો.

ઝઘડા દરમિયાન જમાઈએ સસરાની હત્યા કરી નાખી છે. મૃતક આરએસએસ સાથે સંકડાયેલા હોવાથી હત્યાના બનાવ બાદ મંત્રી, સાસંદ સહિત બીજેપીના નેતાઓ દોડી ગયા હતા. જામનગર શહેરમાં મંગળવારે એક તરફ ચૂંટણીના વિજય સરઘસ અને વિજયસભા ચાલતી હતી, ત્યારે જ જમાઈએ સસરાની હત્યા કરી નાખવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી.
કાલાવડમાં રહેતા અને આરએસએસ સાથે સંકળાયેલા વિજયભાઈ ભાનુશંકર ભટ્ટ નામના ૬૫ વર્ષીય વૃદ્ધ મંગળવારે રાત્રે જામનગરના દિગ્વિજય પ્લોટ ખાતે રહેતા તેના જમાઈ મનિષ સુરેશભાઈ જાનીના ઘરે આવ્યા હતા. વિજયભાઈના પુત્ર સચિને નવું મકાન બનાવ્યું હોવાથી મકાનના વાસ્તાનું નિમંત્રણ આપવા માટે આવ્યા હતા. આ દરમિયાન સસરા અને જમાઇ વચ્ચે કોઈ વાતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા જમાઈ મનીષ જાનીએ પોતાના સસરા વિજયભાઈ પર ઈંટથી હુમલો કરી દીધો હતો. લોહી વહી જતાં વિજયભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/