રાજકોટ આપમાં ભંગાણઃ શહેર યુવા પ્રમુખ સહિત ૩૦૦ કાર્યકરોના રાજીનામા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવી કોંગ્રેસને ફટકો આપનાર આમ આદમી પાર્ટી રાજકોટમાં મોટુ ભંગાણ થયું છે. આજે શહેર યુવા પ્રમુખ દેવાંગ ગજ્જર, સેન્ટ્રલ ઝોન પ્રભારી ઇન્દુભા રાઓલ, શહેર મહામંત્રી દિવ્યકાંત કગરાણા સહિત ૩૦૦ જેટલા કાર્યકરોએ એકસાથે રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું છે. રાજીનામા આપવા પાછળનું કારણ પાર્ટીમાં યુવાનોની અવગણના થતી હોવાનું જણાવ્યું છે.
યુવા પ્રમુખ દેવાંગ માકડે જણાવ્યું હતું કે, કેજરીવાલ અને આપની વિચારધારાથી યુવા રાજનીતિને આગળ વધારવા આપ સાથે અમે તમામ લોકો જાેડાયા હતા. પરંતુ પાર્ટીમાં યુવાનોનો માત્ર રેલી કે સભા દરમિયાન જ ઉપયોગ કરવામાં આવતો હતો. તેમજ યુવાનોની અવગણના થતી હતી. આ અંગે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાને યુવાનોની અવગણના બાબતે વારંવાર રજુઆત કરવામાં આવી હતી. પરંતુ આમ છતાં પણ કોઇ યોગ્ય નિરાકરણ ન આવતા અમે તમામ લોકોએ એકસાથે મળી રાજીનામું ધરી દીધું છે.
રાજકોટમાં નિઃસ્વાર્થ કાર્ય કરી રહેલા આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓની લાગણીને ઠેંસ પહોચાડી છે. જેનો ન્યાય કુદરત જરૂર કરશે.
Recent Comments