fbpx
સૌરાષ્ટ - કચ્છ

ભાવનગરઃ ૧૦૨ વર્ષના વૃદ્ધાએ ૯ દિવસ ઓક્સિજન પર રહી કોરોનાને હરાવ્યો

“ભૂતો ન ભવિષ્યતિ” કહી શકાય તેવી એક ઘટનામાં ભાવનગરના ૧૦૨ વર્ષની વયના રાણીબેન શ્યામજીભાઈ કોજાણીએ માત્ર ૧૨ દિવસમાં કોરોનાને મ્હાત આપી કોરોના સામેનો જંગ જીત્યો છે. આજે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં કોરોનાની સારવારમાંથી સાંગોપાંગ બહાર આવ્યા બાદ તેઓને આજે રજા આપવામાં આવી હતી.

ભાવનગર શહેરના તળાજા રોડ પર રહેતાં ૧૦૨ વર્ષીય રાણીબેન કોજાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ગત તા.૨ એપ્રિલના રોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમયે તેમનો ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જતું હતું અને વયોવૃદ્ધ ઉંમરને કારણે પરિવારનું પણ ટેન્શન વધતું જતું હતું. હોસ્પિટલમાં ૧૨ દિવસમાંથી રાણીબેન ૯ દિવસ તો ઓક્સિજન પર રહ્યા હતા અને છેલ્લા ત્રણ દિવસથી જ તેમને ઓક્સિજન પરથી હટાવવામાં આવ્યા હતા.

૧૦૨ વર્ષની ઉંમરે પણ સારવાર દરમિયાન રાણીબેન પોતાને તથા બીજાને ખુશ રાખવા સતત પ્રયત્નશીલ રહેતા હતા. તેમની વર્ષોની નિયમિત આહાર વિહાર શૈલી તેમણે હોસ્પિટલમાં પણ જાળવી રાખી હતી અને સર ટી હોસ્પિટલના નર્સિંગસ્ટાફે પણ તેમની મોટી ઉંમરને ધ્યાનમાં રાખીને તેમની વિશેષ કાળજી લીધી હતી. રાણીબેનને જ્યારે હોસ્પિટલમાંથી રજા અપાઇ ત્યારે પણ તેઓના ચહેરા પર કોઈ પણ પ્રકારનો કોરોનાનો ભય ન હતો.

કોવિડ-૧૯ પરના અભ્યાસો પરથી સાબિત થઈ ચૂક્યું છે કે, વયોવૃદ્ધ વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ રોગ વધુ ઉમર ધરાવતાં સંક્રમિત લોકોને વધુ અસર કરે છે અને તેથી જ સમગ્ર વિશ્વમાં આ રોગના કારણે મહત્તમ મૃત્યુ દર દર ૭૦ કે તેથી વધુ વર્ષથી ઉંમરના લોકોનો નોંધાયો છે તેવા સમયે ૧૦૦ વર્ષથી વધુ ઉંમરે કોરોનાને હરાવવો એ ખૂબ જ પડકારજનક અને લાખોમાંથી શક્ય બનતી એકાદ ઘટના છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/