તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી મે મહિનામાં શરૂ થશે
ગીર સોમનાથના તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી આ વર્ષે મે મહિનાની ૪ મે મહિનાથી શરૃ થશે.ગત વર્ષ કરતાં ૬ દિવસ વહેલા હરાજી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
માર્કેટિંગ યાર્ડમાં ગયા વર્ષે કેસર કેરીના હકાજી ૧૦ મે એ કરવામાં આવી હતી આ વર્ષે ૪ મે નાં રોજ શરૂ કરવામાં આવશે.ગત વર્ષે દસ કિલોના ૬,૮૭,૦૦૦ હજાર બોકસની આવક સાથે સરેરાશ એક કિલોનો ભાવ સરેરાશ ૪૧૦ હતાં.
તાલાળા માકેટિંગ યાર્ડના નવા નિમાયેલા ડિરેકટરોની ઉપસ્થિતિમાં બોક્સની પ્રથમ બેઠક મળી હતી.જેમાં ૪ મેથી કેસર કેરીની નવી સીઝન શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષે ૩૭ દિવસ સીઝન ચાલી હતી. ગત સમયમાં ૧૦ કિલોના ૬૮૭૦૦૦ના બોક્સની આવક થઇ હતી.અને પ્રતિ કિલોનો ભાવ સરેરાશ ૪૧૦ હતો.જે છેલ્લા્ ૨૦ વર્ષથી સૌથી વધુ હતો
Recent Comments