તૌકતે વાવાઝોડામાં સિંહ સલામત હોવાનો વન વિભાગે દાવો કર્યો
તાઉ-તે વાવાઝોડાના કારણે સિંહના રહેઠાણ એવા ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભલે તારાજી સર્જાઈ હોય પણ એશિયાટિક લાયનને કોઈ નુકસાન ના થયાનો વનવિભાગ તરફથી ગઈકાલે જ દાવો કરાયો હતો. વનવિભાગના દાવા બાદ હવે એક વીડિયો પણ જાહેર કરાયો છે જેમાં આંકોલવાડી ગીર વિસ્તારમાં ૧૦ સિંહનું એક ટોળું કોઝ-વે પર વહેતા પાણીની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે.
રાજ્ય સરકારના સચિવ રાજીવ ગુપ્તાએ આંકોલવાડી ગીરમાં વિહરતા ૧૦ સિંહને દુર્લભ ગણાતો આ વીડિયો ટિ્વટ કર્યો છે અને લખ્યું છે કે, તાઉ-તે વાવાઝોડાની આફત બાદ ગીરમાં સિંહ સલામત છે. ફિલ્ટ સ્ટાફ સિંહ પર નજર રાખી રહ્યો છે.
હાલ જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે તે ગીર જંગલના આકોલવાડી ગીરનો છે. જેમાં ૧૦ જેટલા સિંહો એક સાથે નજરે પડે છે.. તાઉતે વાવાઝોડાના કારણે ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો, ત્યારે પુલ ઉપરથી પાણી વહેતું જાય છે અને ૧૦ સિંહ તેની મસ્તીમાં પસાર થઈ રહ્યાના દ્રશ્યો વનકર્મીએ કેમેરામાં કેદ કર્યા છે. આ દર્શયો તાઉ-તે વાવાઝોડા બાદ સિંહો સલામત હોવાની વાતની પુષ્ટિ આપી રહ્યા છે.
Recent Comments