વિપક્ષ નેતા ધાનાણીએ રાજૂલા-જાફરાબાદમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી
વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે રાજુલા અને જાફરાબાદ વિસ્તારના અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. પરેશ ધાનાણીએ લોકોના ઘરે તેમજ ખેતરે જઇને જાત નિરીક્ષણ કર્યુ હતુ. પરેશ ધાનાણીએ સરકાર અસરગ્રસ્તોને સહાય કરે તેવી માંગ કરી હતી. પરેશ ધાનાણી સાથે સ્થાનિક ધારાસભ્ય અમરિશ ડેર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતને ઘમરોળ્યું છે. ઘણા જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે. બીજી તરફ રાજ્યના અમરેલીમાં પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.
અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યા બાદ હવે તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે સૌથી વધુ નુકસાન રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં થયું છે. સરકારી ચોપડે રાજુલા અને જાફરાબાદમાં ફક્ત ૧-૧ મોત જ નોંધાયા છે. પરંતુ હકીકતમાં વધુ લોકોન મોત નિપજ્યા છે.
Recent Comments