fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગર મેયર મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફ્લેટ મુદ્દે કોંગ્રેસે ધરણાં યોજ્યા

જામનગરના મેયર શહેરની મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફ્લેટ ધરાવતા હોવાનો ખુલાસો થયા બાદ આજે કાૅંગ્રેસ દ્વારા મેયર કાર્યાલય પાસે ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. કાૅંગ્રેસે આક્ષેપ કરી કહ્યું હતું કે, મુખ્યમંત્રી આવાસ યોજના એ શહેરી ગરીબો માટે અને ઘરવિહોણા લોકો માટે છે. પરંતુ, મેયર પોશ વિસ્તારમાં બંગલો ધરાવતા હોવા છતા મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફ્લેટ મેળવ્યો છે.

મેયરે ગરીબોના હક પર તરાપ મારી-કાૅંગ્રેસશહેર કાૅંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાન ઘરવિહોણા લોકો માટે અને શહેરી ગરીબો માટે છે. મેયર શહેરના પંચવટી વિસ્તારમાં બંગલો ધરાવે છે અને ત્યાં જ રહે છે. તેમ છતા મુખ્યમંત્રી આવાસ યોજનાની જાેગવાઈ વિરુદ્ધ ફ્લેટ મેળવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

આજે કાૅંગ્રેસ દ્વારા મેયર કાર્યાલય બહાર ધરણા યોજી સૂત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.સાથે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગમાં આ મામલે કાર્યવાહી કરવા માટે રજૂઆત પણ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/