અંધશ્રદ્ધા અને ડરના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનેશન ઓછું થયુંઃ જયેશ રાદડિયા
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વધુને વધુ વેક્સિનેશન થાય તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આજે પણ ગામડાઓમાં અંધશ્રદ્ધા અને અફવાઓથી પ્રેરાયને લોકો વેક્સિનેશનથી દૂર રહેતા હોવાનો ખુદ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ સ્વીકાર કર્યો છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને રાજકોટ મનપા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમયે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ વેક્સિનેશન અંગે કહ્યું હતું કે-લોકોમાં વેક્સિન અંગેની અંધશ્રદ્ધા અને ડર હોવાના કારણે વેક્સિનેશન ઓછું થયું છે. હાલ અંધશ્રદ્ધાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકો વેક્સિન મુકાવતા નથી. આ તકે તેમણે લોકો વધુને વધુ વેક્સિનેશનનો લાભ લેવા માટે અપીલ કરી હતી.
વધુમાં કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલથી ૧૮ થી વધુ ઉંમરના વ્યક્તિઓને વેક્સિન આપવાની કામગીરી ગ્રામ્ય કક્ષાએ શરૂ કરવામાં આવી છે. વેક્સિનેશન ને લઈ અત્યાર સુધી લોકોમાં ડર હોવાના કારણે વેક્સિનેશન ઓછું થયું હતું. તો સાથે જ વેક્સિનેશન મામલે લોકોમાં અંધશ્રદ્ધા ન હોવી જાેઈએ. જે પણ લોકો અંધશ્રદ્ધા ફેલાવતા હોય તેઓએ આરોગ્યની દ્રષ્ટિએ અંધશ્રદ્ધા ન ફેલાવવી જાેઇએ. આજે રાજકોટ નહીં પરંતુ સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે વેક્સિનેશન એક જ માત્ર ઉપાય છે ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ વેક્સિન લેવામાં આવી છે. માટે સૌ ને અપીલ છે કે તમે વેક્સિન અંગેની ખોટી અફવાઓ અને અંધશ્રદ્ધાથી દૂર રહો અને વેક્સિન મુકાવો.
Recent Comments