fbpx
સૌરાષ્ટ - કચ્છ

ધ્રોલ હોસ્પિટલમાં ૨૦૦૭માં તોડફોડનો મામલો, ધારાસભ્ય અને ત્રણ પત્રકારોનો છુટકારો

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે વર્ષ ૨૦૦૭માં તત્કાલીન કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને તેના ટેકેદારો તથા ત્રણ પત્રકારો સહિતનાઓ સામે હોસ્પિટલમાં તોડફોડ કરવા સબંધિત ફરિયાદ નોંધાઈ હતી. જેની સામે ફરિયાદ વિડ્રોઅલ કરવા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે કોર્ટે અમાન્ય રાખી હતી. દરમિયાન તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ ટકોર મુજબ સાંસદ અને ધારાસભ્યો સામે ચાલતા ક્રિમીનલ કેશ દરરોજ ચલાવવાના હુકમને લઈને આજે ધારાસભ્ય રાઘવજી પટેલ સામેનો કેસ ધ્રોલ અદાલતમાં ચાલ્યો હતો.

જે તે સમયે કોંગ્રેસના અને હાલ જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ ઉપરાંત નરેન્દ્રસિંહ જાડેજા, પત્રકારો જીતુ શ્રીમાળી, જયેશ ભટ્ટ અને કરણસિંહ જાડેજાને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. જયારે સબ્બીર ચાવડા, પાચા વરુ અને લગધીરસિંહ જાડેજા સામેના આરોપો સાબિત નહિ થતા આ ત્રણને નિર્દોષ જાહેર કરાયા છે. આ કેસમાં દોષિત ઠેરવેલ ધારાસભ્ય રાઘવજી પટેલ અને અન્ય આરોપીઓને છ માસની સજા અને રૂપિયા દસ હજારના દંડની સજા ફટકારી હતી. જેને લઈને સજા પામેલ ધારાસભ્ય સહિતનાઓએ ઉપલી કોર્ટમાં અરજી કરી હતી.

આ અરજી આજે ચાલી જતા જામનગર કોર્ટે તમામને નિર્દોષ છોડી મુકતો હુકમ કર્યો છે. અમારી પ્રજા લક્ષી રજુઆત કરવા અમે એકત્ર થયા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. પણ અમને કોર્ટ પર પૂર્ણ વિશ્વાસ હતો કે અમે આ કેશમાં નિર્દોષ છૂટશું એમ રાઘવજી પટેલે જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/