સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશની એક અઠવાડિયામાં બીજી વાર બદલી
તાજેતરમાં જ ગુજરાત સરકારે ૭૫ આઇએએસ અધિકારીઓની સાગમટે બદલી કરી હતી. આ સમયે સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશની પણ બદલી કરવામાં આવી હતી. જાેકે, માત્ર એક જ અઠવાડિયામાં તેમની ફરી બદલી કરવામાં આવી છે.
કે. રાજેશને ગૃહ વિભાગમાથી હટાવીને માન્ય વહીવટ વિભાગમા મુકાયા છે. એક અઠવાડિયા પહેલા જ સુરેન્દ્રનગર કલેક્ટરથી ગૃહ વિભાગમા જાેઈન્ટ સેક્રેટરી તરીકે બદલી કરાઈ હતી. હવે ફરી પાછા ગૃહ વિભાગનાં જાેઈન્ટ સેક્રેટરીથી સામાન્ય વહીવટી વિભાગમાં જાેઈન્ટ સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે.
Recent Comments