fbpx
સૌરાષ્ટ - કચ્છ

સગીર ચાલકે પેટ્રોલિંગ કરી રહેલા પીએસઆઇને ટક્કર મારતા મોતને ભેટ્યા

રાજયમાં દિવસેને દિવસે હિટ એન્ડ રન કેસની ઘટના બનતી હોય છે. ત્યારે વધુમાં આજે જુનાગઢ ખાતે આ બનાવ બન્યો હતો. જેમાં મંગળવારની રાતે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પીએસઆઈ ડી.કે. સીંગરખીયા ભવનાથ તળેટીમાં ફુટ પેટ્રોલીંગમાં નિકળ્યા હતા તે સમયે કારે ટક્કર મારતાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને ખાનગી હોસ્પટલમાં સારવાર માટે લઇ ગયા હતા જ્યાં તેમનું નિધન થયું છે. ઘટના ની જાણ થતા જ પોલીસકર્મી ત્યાં પહોચી ગયા હતા . અને આગળ તપાસ હાથ ધરી હતી .

બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા તેમજ ડીવાયએસપી સહિતના અધિકારીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પીએસઆઈનું અકસ્માતમાં મોત થયાના સમાચાર બાદ પોલીસબેડામાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, મૃતક પીએસઆઈ ચાર મહિના બાદ નિવૃત થવા જઈ રહ્યા હતા. તેઓની નિવૃતી નજીક હોવાથી પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો કારણ કે વર્ષો સુધી પોલીસ વિભાગમાં સેવા આપ્યા બાદ તેઓ નિવૃત થઈ પરિવાર સાથે સમય વિતાવશે. પરંતુ આ ગોઝારા અકસ્માતને કારણે પરિવારજનોની આ ઇચ્છા અધૂરી જ રહી ગઇ. એકાએક પરિવારમાં પીએસઆઈના મોતના સમાચાર મળતાં માહોલ માતમમાં ફેરવાઈ જવા પામ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/