fbpx
સૌરાષ્ટ - કચ્છ

મનપા કચેરી ખાતે ડો.આંબેડકરનું ચિત્ર મૂકવા અંગે કોંગ્રેસે ધરણાં કર્યા

રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષનેતા અને હાલના વોર્ડ નંબર ૧૫ના કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયા દ્વારા આજ રોજ દલિત સમાજના આગેવાનો સાથે રાખી મનપા કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. જાેકે વશરામ સાગઠિયા અને સમાજના આગેવાનો ધરણા કરે તે પૂર્વે જ પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. અટકાયત સમયે આગેવાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. મનપા કચેરીમાં ડો.બાબા સાહેબ આંબેડકરનું તૈલી ચિત્ર મૂકવા માગ કરવામાં આવી હતી.

રાજકોટ મનપા કચેરી ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની તૈલ ચિત્ર મુકવા માગ કરવામાં આવી હતી. જાેકે મનપા દ્વારા આ અંગે કોઈ ર્નિણય ન લેવામાં આવતા રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ મનપા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મનપા અને શાસકો બાબા સાહેબના તૈલી ચિત્ર મુકવા અંગે કિન્નાખોરી દાખવી રહ્યાં છે માટે ધરણા યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જાેકે આ સમયે ધરણા માટે વશરામ સાગઠિયા, સમાજના આગેવાનો અને કાર્યકર્તા બેસે તે પૂર્વે જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી.

વશરામ સાગઠિયા અને દલિત આગેવાનોએ મનપા કચેરીમાં ડો. બાબા સાહેબ આંબેડકરનું તૈલ ચિત્ર મુકવાની માગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. તમામ ઉપવાસ આંદોલન પર બેસે તે પહેલા જ પોલીસ આવી ગઈ હતી અને તમામની અટકાયત કરી હતી. અટકાયત સમયે પોલીસ અને દલિત આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/