સુરેન્દ્રનગર કોંગ્રેસના આગેવાનો આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે
આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સુરેન્દ્રનગર કોંગ્રેસના આગેવાનઓ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે સવારે 11:00 કલાકે તેઓ જોડાશે. 2022 ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની અંદર પક્ષમાંથી જોડાવાની હોડ જામી છે. લોકોમાં ચર્ચા છે કે આ એક ભરતી મેળા જેવું છે એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ બીજેપી માં જોડાઈ રહ્યા છે તે બાદ આ ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે આજે ફરી સુરન્દ્રનગર કોંગ્રેસમાંથી અન્ય આગેવાની જોડાઈ રહ્યા છે. એક નવા મોટા આ ભરતી મેળામાં નેતા જયરાજસિંહ પરમાર, દિનેશ શર્મા તેમજ બેચરરાજી પંથકના આગેવાનો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. પ્રદેશ કાર્યાલય કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં કોંગ્રેસના આગેવાનો જોડાશે. ચુંટણીઓ પહેલા જ રાજકારણ ગ્રમાયેલું જોવા મળ્યું છે. હજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ શરૂ જ નથી થઇ તે પહેલાં જ ગુજરાતની અંદર ફેર બદલો જોવા મળી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને કોંગ્રેસી નેતાઓ કે જેમનો હંમેશા સીલસીલો રહ્યો છે કે, કોંગ્રેસમાંથી બીજેપી માં જોડાવાનો. આ સિલસિલો ચૂંટણી પહેલા પણ જારી રહ્યો છે પહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો બીજેપી માં જોડાયા ત્યાર બાદ કોંગ્રેસના નેતાઓ બીજેપીમાં સત્તાવાર રીતે આજે જોડાઇ રહ્યા છે. કોંગ્રેસમાં ફરી એકવાર ગાબડું સુરેન્દ્રનગર માથી પડશે.
Recent Comments