કચ્છમાં આગામી સમયમાં આરોગ્ય સેવામાં વધારો કરવા માટે ૩૬ એમ્બ્યુલન્સ લોકાર્પિત કરવામાં આવશે
કચ્છની આરોગ્ય સેવામાં વાધારો કરવા તંત્ર દ્વારા નવી ૩૬ જેટલી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ આગામી સમયમાં લોકાર્પિત કરવા માટેની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાની કાગમીરી ચાલી રહી છે ત્યાર બાદ કચ્છના અંતરીયાળ વિસ્તારના લોકોને જરૂરી સમયે વધુ એમ્બ્યુલન્સનો સેવાનો લાભ મળી શકશે. આ ૩૬ એમ્બ્યુલન્સમાં ર૧ જિલ્લા પંચાયત દ્વારા, પ ધારાસભ્ય અને ૧૦ એમ્બ્યુલન્સ અન્ય તંત્ર દ્વારા ખરીદાઈ છે. આ અંગેની વધુ વિગતો મુજબ વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતા છેવાડાના કચ્છ જિલ્લામાં લોકોના આરોગ્યની સુખાકારીમાં વાધારો કરવા તંત્ર દ્વારા ખરીદાયેલી ૩૬ એમ્બ્યુલન્સમાંથી બે એમ્બ્યુલન્સ આઈસીયુ સુવિાધા ધરાવતી છે. સરકારના વિવિાધ વિભાગોની ગ્રાન્ટમાંથી આવેલી આ તમામ એમ્બ્યુલન્સ આગામી સમયમાં લોકાર્પિત કરવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા હાલ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે. જે બાદ કચ્છના દુર્ગમ વિસ્તારના લોકોને જરૂરત સમયે વધુ એમ્બ્યુલન્સ સેવાનો લાભ મળી શેક એમ છે. અંતરીયાળ વિસ્તારના લોકોને જરૂરતના સમયે એમ્બ્યુલન્સ સેવા મળી રહે એવા હેતુસર તંત્ર દ્વારા આ ૩૬ એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવી છે. જેનું આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. આ અંગે જાણકાર સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી મુજબ મહામારીની બીજી લહેર દરમિયાન ગ્રામ્ય વિસ્તારના લોકોને એમ્બ્યુલન્સ સુવિાધાના અભાવે ભારે હાલાકી થઈ હતી. આ હેતુ લોકોને આરોગ્યની સેવા તાકીદે મળે એ માટે નિયત સ્થળે સમયસર પહોંચી શકે તે માટે સરકારી વિભાગોની ગ્રાન્ટમાંથી નવી એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવી છે.
Recent Comments