રાજકોટમાં વકીલ પર શૌચાલયમાં હુમલો, આરોપીએ ગળું દબાવી હત્યાની ધમકી આપી
રાજકોટ શહેરના હોસ્પિટલ ચોક ખાતે આવેલી કોર્ટ કચેરી ખાતે કોર્ટ પરિસરમાં જ વકીલ ઉપર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે વકીલો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને બાદમાં આરોપીને એ-ડિવિઝન પોલીસને સોંપી તેના વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે. આજે કોર્ટ પરિસરમાં ડોમેસ્ટિક વાયોલેન્સનાં આરોપી અશોક લક્ષ્મણભાઈ કેવટિયા દ્વારા ફરિયાદી પક્ષના વકીલ હર્ષ ભીમાણી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં વકીલનું ગળું દબાવી તેમને કેસમાંથી ખસી જવા ધમકી આપવામાં આવી હતી. ઘટનાને પગલે ત્યાં હાજર વકીલો દોડી ગયા હતા અને હર્ષ ભીમાણીને મુક્ત કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તરત આરોપીને સકંજામાં લીધો હતો.
બીજી તરફ આ અંગેની જાણ થતાં વકીલો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમજ સમગ્ર મામલે એ-ડિવિઝન પોલીસને આરોપી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી હતી. બાર એસો.ના પૂર્વ પ્રમુખ બકુલ નથવાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે એ-ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. ફરજ પરના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પણ આરોપી સામે આકરી કલમો હેઠળ કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.
જાેકે, વકીલો ઉપર અવારનવાર થતા હુમલાઓને લઈને કોર્ટ પરિસરમાં પોલીસનો બંદોબસ્ત વધારવા સહિતના મુદ્દે આગામી દિવસોમાં પોલીસ કમિશનરને મળી રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ભોગ બનનાર વકીલ હર્ષ ભીમાણીએ જણાવ્યું હતું કે, આજરોજ રાજકોટ સિવિલ કોર્ટનાં પાંચમા માળે જૈન મેડમની કોર્ટમાં મારો કેસ હોય હું ત્યાં ગયો હતો.
તારીખ લઈને બહાર નીકળતા આ ડોમેસ્ટિક વાયોલન્સના કેસનો આરોપી અશોક કેવટીયા આવી પહોંચ્યો હતો અને મને બેફામ ગાળો આપી જાનથી મારવાની ધમકી આપી હતી. બાદમાં હું શૌચાલયમાં ગયો ત્યારે પાછળથી મારા ઉપર હુમલો કરી મને જાનથી મારવાની કોશિશ કરી હતી. જાેકે અન્ય એડવોકેટ મિત્ર આવી જતા મને બચાવ્યો હતો. આથી સવાલ થાય છે કે, જાે કોર્ટ પરિસરમાં વકીલો સલામત ન હોય તો બહાર તો શું ન થઈ શકે? વકીલોની સલામતિને ધ્યાનમાં રાખીને પોલીસ તેમજ સરકારે કડક પગલાં લેવા જાેઈએ.
Recent Comments