Home અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૩૦મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૩૦મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી, તા.૨૮ જૂન, ૨૦૨૨ (મંગળવાર) અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.૩૦ જૂન, ૨૦૨૨ને ગુરૂવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર કચેરી, પ્રથમ માળ,સી-બ્લોક,બહુમાળી ભવન અમરેલી ખાતે ડિજિટલ રોજગાર ભરતી મેળો યોજાશે.

આ ડિજિટલ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ અથવા નાપાસ  ઉપરાંત આઇ ટી આઇ ૧ વર્ષ ટ્રેડની તકનિકી લાયકાત ધરાવતા હોય તેમજ વયમર્યાદા ૧૮ થી ૨૫ વર્ષની વયજૂથના પુરુષ ઉમેદવાર હોય તેવા રોજગાર ઇચ્છુકો રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકશે. દહેજ સ્થિત પ્લાન્ટ ખાતેના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ એમ.આર.એફ. ટાયર લિમિટેડ માટે અનુબંધમ વેબપોર્ટલ મારફતે ડિજિટલ ભરતી મેળો યોજાશે.

આ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup  પર જોબ સીકર તરીકે નોંધણી કરાવી પોર્ટલ પર લોગ ઈન કરી જોબ મેનુમાં ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. વિગત ભર્યા બાદ જ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી,અમરેલીના કોલસેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.