ત્રણેય જગ્યાએથી મળીને કુલ ૨૧ લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશાકારક પદાર્થ મળી આવતા હોય છે. ત્યારે રાજકોટના જસદણ – વિંછીયા પંથકમાંથી ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. તો વિંછીયાના પાટીયાળી ગામે ર્જીંય્ અને જસદણ પોલીસના દરોડા
જહાજમાં સવાર તમામ ખલાસીઓને અન્ય જહાજ દ્વારા બચાવવામાં આવ્યા દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના વહાણમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઓમાનના ખસબ ખાતે અલી મદદ નામના વાહણમાં આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર સલાયા પરત ફરતી વખતે એન્જિનમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. તો સદનસીબે દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ […]
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને ગુજરાતના મંત્રી પુરૂષોત્તમ સોલંકીના ઁછ હોવાનું કહી રોફ જમાવતાં હતાં ગુજરાતમાં નકલી પીએમઓ ઓફિસર સામે પોલીસની કડક કાર્યવાહી બાદ પણ ઓળખ બનાવીને ફફડાટ અને ઓળખ ઉભી કરવાના કિસ્સાઓ અટકતા નથી. કિરણ પટેલ રાજ્યમાં નકલી પીએમઓ ઓફિસર તરીકે પકડાયો હતો. આ પછી સીએમઓના નકલી અધિકારીઓનો પર્દાફાશ થયો. ઈસરોના નકલી વૈજ્ઞાનિક પણ […]
આજે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છમાં પણ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે બાબા બાગેશ્વરની કથાનો મંડપ અસ્ત-વ્યસ્ત થયો છે. આજથી શરૂ થનારી બાબા બાગેશ્વરની કથાનો પંડાલ વરસાદના કારણે વેર-વિખેર થતો જાેવા મળી રહ્યો છે. તેના કારણે બેઠક વ્યવસ્થા પણ અસ્ત-વ્યસ્ત થતાં આયોજકો ચિંતામાં મૂકાયા છે. આ સ્થિતિમાં આયોજકોએ હનુમાન ચાલીસાના […]
ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં ભર શિયાળે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતે સૌરાષ્ટ્રને પણ ધમરોળ્યું છે. રાજકોટ અને અમરેલીના અમુક વિસ્તારોમાં તો કરા પડ્યા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતાના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, હાલ જગતનો તાત છે ચિંતામાં છે. શિયાળાની શરૂઆતમાં જ કુદરતની કહેર અને લોકોની કઠણાઈ શરૂ થઈ […]
જૂનાગઢ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ આવી પડ્યો છે. તો બીજી તરફ, ધારી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા સહિતના તાલુકામાં કમોસમી વરસાદ આવ્યો છે. સાવરકુંડલા, ખાંભા સહિતના શહેરમાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો છે. કેશોદ તાલુકામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ગાજવીજ […]
સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ૧૭૫માં શતાબ્દી મહોત્સવમાં સુરતના હરિભક્ત દ્વારા હનુમાનજી દાદાને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ અપર્ણ કરવામાં આવ્યો છે. કથા મંડપમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતોની ઉપસ્થિતમાં હરિભક્ત અને તેના પરિવાર દ્વારા સંતોને મુગટ અપર્ણ કરવામા આવ્યો છે. સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ૧૭૫માં શતાબ્દી મહોત્સવ
પાર્ટીમાં આંતરિક વિવાદ સામે આવતાં રાજકારણ ગરમાયું ગુજરાત ભાજપમાં ફરીવાર આંતરિક વિવાદ સામે આવ્યો છે. પાર્ટીમાં આંતરિક વિવાદ સામે આવવાને કારણે રાજકારણ ગરમાયું છે. આ વાત રાજકોટ જિલ્લાના જસદણની છે. જ્યાં વિંછીયા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી ભુપત કેરાળીયાએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા વિરુદ્ધ આક્ષેપો લગાવ્યા છે. ગુજરાતના કેબિનેટમંત્રી કુંવરજી બાવળીયા પર સાઇડલાઇન કરવાના આક્ષેપો
ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના ૧૦ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી ઓછુ નોંધાયું છે. ૧૨.૯ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ અને ડીસામાં ઠંડીનો પારો ગગડ્યો છે. આગામી દિવસોમાં ક્રમશઃ ઠંડીની અસર […]
પૂરપાટ વેગે આવતી કારે રસ્તાની બાજુ પર ચાલતા 4 પદયાત્રીઓને અટફેટે લીધા, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા, એકને ગંભીર ઈજા ગુજરાતમાં દિનપ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. જેનું મુળ કારણ વધુ પડતી સ્પીડ, બે જવાબદારી ભર્યું ડ્રાઈવિંગ અને નશાખોરી હોવાનું અગાઉ પણ સામે આવી ચુક્યું છે. દિવાળીની રજામા યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ ભીડ […]
Recent Comments