ભૂમાફિયા જયેશ પટેલને જામનગર લાવવામાં આવશે. લંડનની જેલથી જયેશ પટેલને ભારત પાછો લાવવામાં આવશે. ૭.૩૦ આસપાસ જામનગર એસપીને મેઇલ મારફતે જાણ કરવામાં આવી હતી. એસપી પ્રેમસુખ ડેલુ અને પૂર્વ આઈઓ નીતિશ પાંડેની મહેનત રંગ લાવી છે. ત્યારે ૩૦૦ પાના આસપાસ ચુકાદો આવ્યો છે. એક્સ્ટ્રા ડિશન અંતર્ગત ચુકાદો આપવામાં
સોશિયલ મીડિયાના માધ્યમથી ચાઈલ્ડ પોર્નોગ્રાફી શેર કરવી ભારે પડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૮ અંતર્ગત ૬૭ (મ્) હેઠળ ભુપત સિંગડ નામના ૩૫ વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરજ બજાવનારા એસ.એસ.જાડેજા ફરિયાદી બન્યા છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું […]
ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ પ્રાચીન પ્રસિદ્ધ શ્રી મુરલી મનોહર મંદિર ખાતે રાષ્ટ્રીય માધવપુર મેળાની ઉજવણીના ભાગ રૂપે તા.૩૦/૩ થી ૩/૪ સુધી લાઈટિંગ ડેકોરેશન તથા વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન દ્વારા કૃષ્ણ લીલાનું પ્રદર્શન કરવામાં આવશે.
કેશોદના પીપળી ગામની સીમમાં કાદાવાળી ખોડીયાર માતાજીના મંદિરે ગજેરા પરિવારે પોતાના જ પરિવારની સગીર દીકરીમાં મેલી વિદ્યા અને પ્રેત આત્મા છે તેવું કહીને, કુમળા ફૂલ જેવી દીકરીના હાથ અને પગને આગમાં હોમીને બલી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શું હતો સમગ્ર મામલો?.. આ અંધશ્રદ્ધાના કિસ્સાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. કેશોદ તાલુકાના પીપળી ગામની […]
ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે રામનવમીના પર્વ નિમિત્તે સવારે રામ મંદિર ખાતે પૂજા અર્ચના અને આરતી કરી ભગવાન રામના દર્શન કરી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં ૪૦થી વધુ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તેમજ વિવિધ સંસ્થાઓ જય શ્રી રામના નારા સાથે આ શોભાયાત્રામાં જોડાઈ હતી. શોભાયાત્રાના આઈસ્ક્રીમ, કુલ્ફી, ચા-પાણી, ઠંડી […]
હાલ બેવડી ઋતુના લીધે રોગચાળો વકરી રહ્યો છે. મોટાભાગના લોકો તાવ અને શરદીની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પર તેની વધુ અસર જાેવા મળી રહી છે. આવામાં રાજકોટમાં તાવ અને ઉલટીના લીધે વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યાં ધોરણ ૪માં અભ્યાસ કરતી ૧૧ વર્ષીય વિદ્યાર્થિનીનું તાવ અને […]
સૌરાષ્ટ્રમાં કોયલ કંઠી ગણાતા લોકગાયિકા શીતલબા રાજપૂત 32 વર્ષ પૂર્ણ કરી 33 માં વર્ષમાં પ્રવેશતા જન્મદિવસના અવસર પર વિશાળ મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વછૂટ્યો છે બાળપણ થી જીભે માં સરસ્વતીનો વાસ હોય ને સ્કૂલ કક્ષાએથી ગીત, લોકગીત, ભજન ગાઈને સ્કૂલ શાળામાં મનોરંજન આપવાના હેતુ સાથે જીવનમાં લોક ગાયિકા બનવાના સ્વપન સાકાર કરવાના મજબૂત ઈરાદા […]
ગુજરાત રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. આગામી ૨૪ કલાક રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે સાઉથ વેસ્ટ રાજસ્થાન તરફના સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે. જેમાં જૂનાગઢ, પોરબંદર, જામનગર,ભાવનગર, બોટાદ,કચ્છમાં માવઠાની આગાહી છે. સાથે આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા,
ધોરાજીમાં આગામી તા. ૩૦/૩/૨૦૨૩ના રોજ રામનવમી નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ ધોરાજી દ્રારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા ધોરાજીના સ્ટેશન પ્લોટ પાસે આવેલ રામ મંદિર ખાતેથી સવારે ૭:૦૦ કલાકે પ્રસ્થાન થશે ત્યારબાદ જમનાવળ રોડ, ગેલેક્સી ચોક, અવેળા ચોક, શાક માર્કેટ, દરબારગઢ, ત્રણ દરવાજા, સ્ટેશન રોડ તેમજ બંબા ગેટથી રામ મંદિર […]
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા પાસે ફર્નેસ ઓઇલ ભરેલા ટેન્કર અને રોંગ સાઈડમાં ઉભેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ટેન્કરનો ચાલક કેબીનમાં ફસાયો હતો. જેના બંને પગને પતરા કાપીને બહાર કાઢ્યો હતો, અને સારવાર માટે જીજી હોસ્પિટલમાં પહોંચાડચો છે. ધ્રોલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. આ અકસ્માતના બનાવની વિગત […]
Recent Comments