પ્રધાનમંત્રી કૃષી સિંચાઇ(વોટરશેડ) યોજનામાં સાવરકુંડલા તાલુકાના મોટાઝિંઝુડા, પીઠવડી, વિજયાનગર ગામોએ વધુમાં વધુ વરસાદના પાણીનો સંગ્રહ થઇ શકે અને પાણીના જળસ્ત્રાવ ઉંચા આવે તેવા સ્થળોએ નવા ચેકડેમ/તળાવોના કામો મંજુર કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા ગ્રામ્ય વિસ્તાર વિકાસ અનેખેતીલક્ષી યોજનાને ઘ્યાને
દામનગર શહેર ની શેક્ષણિક સંસ્થાન શ્રી મતિ ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ ને વીરબેક એનિમલ હેલ્થ કેર ઇન્ડિયા પ્રા લી પશુ દવા બનાવતી કંપની તરફ આરો પ્લાન્ટ લોકાર્પણ કરાયું હતું વીરબેક ના સી એસ આર પ્રોજેકટ દ્વારા એરિયા મેનેજર શ્રી જીતુભાઇ સેદાણી તે દામનગર ના શાખપુર પૂર્વ મેડિકલ ઓફિસર ના પુત્રરત્ન સહિત ના સ્ટાફ ના […]
લાઠી તાલુકા ના શાખપુર થી કલ્યાણપર રોડ અતિ બિસ્માર હાલતમાં રસ્તો નહિ બનાવો તો ઉગ્ર આંદોલન કરવા ફરજ પડશે સરપંચ ની ચેતવણી. શાખપુર થી અમરેલી જવા માટે શાખપુર છેવાડા નું ગામ હોવાથી આ શાખપુર કલ્યાણપર રોડ થી અમરેલી નજીક પડે અવર નવર તાલુકા અને જિલ્લા સંકલન સમિતિ અને મુખ્યમંત્રી વેબ પેજ ઉપર શાખપુર સરપંચ શ્રી […]
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૩૯૫/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (જે) (એન), ૩૭૬(૩) તથા પોકસો એકટ કલમ ૪, ૮, ૧૮ મુજબના ગુનાના આરોપી સવજી ઉર્ફે સંજય છગનભાઇ ગુજરીયા, રહે.ખેરા, તા.રાજુલા વાળો કાચા કામના કેદી તરીકે અમરેલી જિલ્લા જેલ ખાતે હોય, મજકુર કેદીને ગઇ તા.૧૦/૦૧/૨૦૨૩ નાં નામ. રાજુલા કોર્ટમાં પોલીસ જાપ્તા સાથે મુદ્દતે લાવેલ તે […]
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માઘ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના એકમ રોઝફીંચ ફાર્માસ્યુટીકલ પ્રા.લી. અમરેલી માટે ઓપરેટર, ટેકનિશિયન પદો પર ઉમેદવારોની આવશ્યકતા છે. આ જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વય મર્યાદામાં આઈ.ટીઆઈ અથવા કોઈ પણ સ્નાતક ડિગ્રી સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની આવશ્યકતા છે. આ ઉપરાંત એલ.આઈ.સી […]
રાજ્યસ્તરે લોકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે અને લોકોને સરળતાથી ન્યાય મળે તે હેતુથી ફરિયાદ નિવારણ માટેનો સ્વાગત કાર્યક્રમ અમલમાં છે. લોકોને જિલ્લા કે રાજ્ય સ્તર સુધી જવું ન પડે તે માટે તાલુકા કક્ષાએ દર માસે પણ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનો લાભ વધુમાં વધુ નાગરિકો મેળવી શકે તે […]
અમરેલી જિલ્લામાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આગામી તા. ૦૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ ગુજકેટ-૨૦૨૩ પરીક્ષા જિલ્લાના ૦૯ કેન્દ્રો પર લેવામાં આવશે. વિદ્યાર્થીઓ, ગુજકેટ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી શકે તેવા હેતુથી નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા અમરેલી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લાના તમામ
સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજની બહેનોની અભ્યાસ તથા સહ અભ્યાસક પ્રવૃત્તિઓમાં પણ આગવી સિધ્ધિ હાંસલ કરેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ વર્ષ ૨૦૨૨માં સેમેસ્ટર ૬ માં સમગ્ર યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરે છે ચૌહાણ પુજા વિનુભાઈ.તથા નવમું સ્થાન મેળવ્યું છે દેવમુરારી જ્યોતિ ઘનશ્યામભાઈ. જે
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યાશાળા બ્રાંચ શાળા નેબર બે માં બેગલેસ દિવસ અંતર્ગતની પ્રવૃત્તિ સંદર્ભે ધોરણ છ થી આઠની દિકરીઓને વિજ્ઞાન શિક્ષિકા શ્રી અંકિતાબેન ઠુંમર દ્વારા ભરતકામના તમામ ટાંકાઓ શીખવવામાં આવેલ. આજના રેડીમેઈડ યુગમાં ભરતકામના કૌશલ્યને પ્રોત્સાહન મળે તેવો શિક્ષણના ભાગરૂપેનો આ સ્તુત્ય પ્રયાસ જ ગણાય. ખરાં અર્થમાં જોવા જઈએ તો […]
સાવરકુંડલામાં સનરાઈઝ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળાઓ,ચૌહાણ સોહબ્યા તોફિકભાઈ અને મીઠાણી અક્સા ઇમરાનભાઈ. આ બન્ને બહેનોએ ફકત આઠ વરસ ની ઉંમરે આખો રમઝાન એટલે કે 30 રોજા રાખવા માટે મક્કમ નિર્ધાર કર્યો છે. આટલી નાની ઉંમરે આટલી મોટી તપસ્યા..!! અરે તંદુરસ્ત અને હટ્ટાકટ્ટા યુવાનો પણ આંખો રમઝાન રોઝા રાખી શકતા નથી. આજે સતત નવમુ […]
Recent Comments