અમરેલી પાલિકા વેરો વઘારો પાછો નહિં ખેંચે તો આંદોલન અમરેલી નગરપાલિકા એ વેરોમાં આડેધડ વઘારો ઝીકતા તેની સામે તીવ્ર વિરોધ ઉઠયો છે જો વેરો વઘારો નગરપાલિકા દ્વારા પાછો નહિં ખેચાય તો આંદોલન કરવાની ચિમકી અપાઈ અમરેલી શકિત ગ્રુપ પ્રમુખે ઉગ્ર રજૂઆત કરી જણાવ્યું હતું કે અમરેલી ની શાસિત પાલિકા એ મનમાની દાખવી વેરા વઘારો ઝીંક્યો છે તે અયોગ્ય છે હાલ કોરોના કાળમાં લોકો ની આથિંક સ્થિતિ કથળી છે ત્યારે વેરામાં રાહતની જરૂર છે નહિં કે વેરા વઘારો ની વેરા વઘારો ઘા ઉપર મીઠું ભભરાવા સમાન સાબિત થશે હાલની કપરી પરિસ્થિતિ માં જો વેરો વઘારો તાકિદે પરત નહિં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપી છે
અમરેલી નગરપાલિકા દ્વારા વેરા વઘારો મંજુર સત્તાઘીશોન પ્રજા ની દયા ન આવી શકિત ગ્રુપ

Recent Comments