Home Articles posted by CITY WATCH NEWS
ગુજરાત
રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ વિભાગે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાઈ-બહેનના અતૂટ સ્નેહના પ્રતિકરૂપ રાખડીને સુરક્ષિત, આકર્ષક અને સમયસર તેના ગંતવ્ય સુધી પહોંચાડવાના હેતુથી ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડિઝાઇનર રાખડી કવર તથા રાખડી ગિફ્ટ બોક્સના વેચાણ માટે જારી કર્યું. આ વિશેષ રાખડી કવર અને રાખડી ગિફ્ટ […]Continue Reading
અમરેલી
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા આજે શ્રી સંજયકુમાર તુલસીદાસ અનડાને વિદ્યુત લોકપાલ, રાજકોટ તરીકે ત્રણ વર્ષના કાર્યકાળ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના ચેરમેન શ્રી પંકજ જોષી તેમજ આયોગના સભ્યશ્રીઓ સમક્ષ શ્રી સંજયકુમાર તુલસીદાસ અનડાએ આજે શપથવિધિ પૂર્ણ કરી વિદ્યુત લોકપાલ તરીકે ફરજ સંભાળી છે.તેઓએ વિદ્યુત લોકપાલશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન–૩, Continue Reading
ગુજરાત
માતાનું દૂધ એ બાળક માટે કુદરતી રસી સમાન છે, જે બાળકના જીવન, પોષણ અને વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે. પ્રસૂતિ બાદ બાળકના જન્મ પછીનો પ્રથમ કલાક એટલે કે “ગોલ્ડન અવર” અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આ સમયગાળા દરમિયાન સ્તનપાન શરૂ કરવાથી નવજાત શિશુનો મૃત્યુદર નોંધપાત્ર રીતે ઘટે છે, બાળકને ચેપ સામે રક્ષણ મળે છે તેમજ બાળકના શ્વાસ […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લા માટે જાહેર કરવામાં આવેલા ‘રેડ એલર્ટ’ તેમજ આજે સવારથી જ સતત વરસી રહેલા વરસાદના પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમારે જિલ્લાની પ્રવર્તમાન પૂર અને વરસાદી પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી અગમચેતીના પગલાં […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વહીવટી સુધારણાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની ચતુર્થ અહેવાલની ભલામણોને અમલમાં મૂકતાં રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ કાર્યરત તાલુકા આયોજન સમિતિ અને આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો (ATVT) તાલુકા કાર્યવાહક આયોજન સમિતિઓના સ્થાને 18 સભ્યોની યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર નાગરિકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે શ્રેષ્ઠ અને અદ્યતન સારવાર પૂરી પાડવા માટે સતત કટિબદ્ધ છે. GLOBOCAN-૨૦૨૨ના રિપોર્ટ મુજબ, ભારતમાં દર વર્ષે અંદાજે ૧.૧૨ લાખથી વધુ નવા ફેફસાના કેન્સરના કેસ નોંધાય છે અને ૯૮ હજારથી વધુ નાગરિકોના મૃત્યુ થાય છે. […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ખાતે દામનગરથી ભુરખીયા તરફ જતા રસ્તા પર આવેલ રેલવે ફાટક નં. ૧૧/સી ઉપર ઓવરબ્રિજની કામગીરી પ્રગતિમાં છે. આ કામગીરી શરૂ રહે તે દરમિયાન તમામ વાહનોની અવર-જવર સંપૂર્ણ પણે બંધ કરવામાં આવી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમરેલી શ્રી દિલિપસિંહ ગોહિલએ ગુજરાત પોલીસ અધિનિયમ-૩૩(૦૧)(બી) અંતર્ગત જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. આ માટે લાઠી-ભુરખીયા તરફથી આવતા અને ઢસા-દામનનગર Continue Reading
અમરેલી
રાજ્યકક્ષાની ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અનુસંધાને અમરેલી જિલ્લા સેવાસદન ખાતે ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. ૧૫મી ઓગસ્ટે અમરેલી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના મેદાનમાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે. બેઠકમાં રાજ્યમંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ભવ્ય, સાંસ્કૃતિક અને Continue Reading
અમરેલી
ખેડૂતોને દિવેલાના પાકમાં રોગ-જીવાતનું અસરકારક નિયંત્રણ કરી વધુ ઉત્પાદન મેળવવા માટે વાવણી સમયે જ જરૂરી વૈજ્ઞાનિક તકેદારીઓ અપનાવવા કૃષિ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. પાકની શરૂઆતથી જ યોગ્ય બીજની પસંદગી, બીજ માવજત અને ખેતર વ્યવસ્થાપન દ્વારા રોગ-જીવાતના ઉપદ્રવને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. ખેડૂતોને વાવણી પહેલાં બીજને થાયરમ અથવા કાર્બેન્ડાઝિમ દવાના ત્રણ ગ્રામ પ્રતિ Continue Reading
અમરેલી
ભારત સરકારના આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર કાર્યાલય (NSO) ના ક્ષેત્ર સંચાલન વિભાગ (FOD) દ્વારા દેશના વિકાસ અને નીતિ નિર્માણ માટે વર્ષ ૧૯૫૦થી સતત વિવિધ પ્રકારની આંકડાકીય માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ અંતર્ગત સંસ્થાના પ્રશિક્ષિત અધિકારીઓ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી પસંદ કરાયેલા પરિવારો, ઉદ્યોગો અને ગામોની Continue Reading