ફ્યુચર-રિલાયન્સના મર્જર પર રોકઃ એમેઝોનની સુપ્રિમમાં જીત
રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે ઓગસ્ટ ૨૦૨૦માં ડીલ થઇ હતી, કોર્ટે અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી ડીલ આગળ ન વધારવાનો આદેશ આપ્યો
રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપ વચ્ચે ડીલ વિરૂદ્ધ એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા એમેઝોનના પક્ષમાં ર્નિણય સંભળાવવામાં આવ્યો છે. રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપના આશરે ૨૪ હજાર કરોડની ડીલ પર રોક લાગી ગઇ છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ કે સિંગાપુરમાં જે ઇમરજન્સી આર્બિટ્રેશનનો ર્નિણય છે, તે ભારતમાં પણ લાગુ થશે. મહત્વપૂર્ણ છે કે સિંગાપુરમાં રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપના ર્નિણય પર રોક લગાવી દેવામાં આવી હતી, તે બાદ ભારતમાં પણ એમોઝનના વિલય સોદા વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી.
મહત્વપૂર્ણ છે કે રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપની ૨૪ હજાર કરોડની ડીલ વિરૂદ્ધ એમેઝોને સૌથી પહેલા દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, હાઇકોર્ટે આ ડીલ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો. તે બાદ એમેઝોન તરફથી સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખખડાવવામાં આવ્યો હતો.
દેશના અલગ અલગ ભાગમાં પ્રચલિત બિગ બજાર ફ્યૂચર ગ્રુપનો જ ભાગ છે. કેટલાક સમય પહેલા રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપમાં રિટેલ માર્કેટને લઇને સૌથી મોટી સમજૂતિ થઇ હતી અને ૨૪,૭૧૩ કરોડની ડીલ બાદ રિલાયન્સ પાસે ફ્યૂચર ગ્રુપના માલિકીનો હક આવી ગયો હતો.
આ ડીલ પર એમેઝોને વિરોધ નોંધાવ્યો હતો કારણ કે ફ્યૂચર ગ્રુપની જ એક કંપનીમાં એમેઝોનની ૪૯ ટકા ભાગીદારી હતી. ડીલ અનુસાર, જાે કંપની વેચવામાં આવે છે તો ખરીદીનો પ્રથમ અધિકાર એમેઝોનનો જ હશે પરંતુ રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપની ડીલમાં તેનું પાલન થયુ નહતું.
એમેઝોને તેને લઇને સૌથી પહેલા સિંગાપુરની એક કોર્ટમાં અરજી કરી હતી જ્યા એમેઝોનના પક્ષમાં ર્નિણય આવ્યો હતો, તે બાદ આ કેસ દિલ્હી હાઇકોર્ટ પહોચ્યો હતો, જેમાં હાઇકોર્ટે ડીલ આગળ વધારવા કહ્યુ હતુ પરંતુ હવે સુપ્રીમ કોર્ટે તેની પર રોક લગાવી દીધી છે.
Recent Comments