fbpx
અમરેલી

લાઠીના 80 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત, વધુ 20 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 184 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3417 પર

અમરેલીના લાઠીના વૃદ્ધનું કરુણ મૃત્યુ. જિલ્લામાં આજે 20 પોઝિટિવ કેસ નોંધાયા સામે 20 કેસો ડિસ્ચાર્જ. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો 3400ને પાર

અમરેલી જિલ્લામા કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધતું જાય છે. અમરેલીના લાઠીના 80 વર્ષીય કોરોના વૃદ્ધ દર્દીનું આજે કોરોનાની સારવાર દરમ્યાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે જિલ્લામાં કુલ મૃત્યુ આંક 40ને આંબી ગયો. જિલ્લાની જનતાએ ખાસ કાળજી લેવાની જરૂર છે. છેલ્લા દિવસોમાં જિલ્લા માં પોઝિટિવ કેસો ભયજનક રીતે વધી રહ્યા છે. જો કે સામે રિકવરી રેટમાં પણ સારો સુધારો જોવા મળી રહેતા કોરોના દર્દીઓ પણ જલ્દી કોરોના મુક્ત થઈ ડિસ્ચાર્જ વધુ થઈ રહ્યા છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં લેવા સતત પ્રયત્નો કરી રહ્યું છે તેમાં લોકોને સહકાર આપવા વિનંતી છે. અત્યારે માસ્ક જ વેકસીન હોવાથી માસ્ક અવશ્ય પહેરો સાથે સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન અવશ્ય કરો. પોતાને અને પરિવારને સુરક્ષિત રાખો. આજ તા. 15 ડિસેમ્બરના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 184 દર્દીઓ છે. આજે 20 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 40 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3417 પર પહોંચ્યો છે.

Follow Me:

Related Posts