fbpx
અમરેલી

વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા અનુસૂચિત જાતિના યુવાઓએ ૧૫ ડિસેમ્બર સુધીમાં અરજી કરવી

વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા ૧૫ થી ૩૫ વર્ષના અનુસુચિત જાતિના યુવાઓને સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવવા માટે કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરનાં ઉપક્રમે દર વર્ષે સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવામાં આવે છે. ચાલુ વર્ષે  દસ દિવસ માટે સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી કુલ એક સો જેટલા યુવાઓને પસંદ કરી આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે.

કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા અમરેલી જિલ્લાનાં અનુસુચિત જાતિના યુવક-યુવતીઓ કે જેમની ઉંમર ૩૧/૧૨/૨૦૨૧ નાં રોજ ૧૫ થી ૩૫ વર્ષની હોય તેમણે આ કાર્યક્રમમાં જોડાવા માગતા શીબીરાર્થી માટેનું ફોર્મ અમરેલી જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળીભવન, બ્લોક-સી, રૂમનં.૧૧૦/૧૧૧ પરથી અથવા અત્રેની કચેરીનાં બ્લોગ એડ્રેસ dsoamreli.blogspot.com પરથી મેળવી અને તેની સાથે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણીક લાયકાત, વ્યવસાય, NCC/પર્વતા રોહણ/રમત ગમત સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાકતરી પ્રમાણપત્ર, વાલીની સંમતી પત્ર, તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, અનુસુચિત જાતી અંગેનું પ્રમાણપત્ર અને અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત વગેરે ડોક્યુમેન્ટ જોડીને પોતાની અરજી તા.૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, બનાસકાંઠા, એસ-૨૧, બીજો માળ, જિલ્લા સેવા સદન-૨, જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, પાલનપુર-૩૮૫૦૦૧” ને મોકલી આપવાની રહેશે. પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા કુલ એક સો યુવક-યુવતીઓની આ કાર્યક્રમમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. માત્ર પસંદગી પામેલ યુવક-યુવતીઓને ફોન/પત્ર દ્વારા જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતીઓને નિવાસ, ભોજન, તથા આવવા જવાનું ભાડું સરકારશ્રી તરફથી આપવામાં આવશે.

Follow Me:

Related Posts