કવિ ‘હેમાળવી’ દ્વારા સફળ આયોજન રાજુલા શહેર ખાતે કાર્યરત સાહિત્યિક સંસ્થા ‘સૌરભ સંસ્થાન રાજુલા’ દ્વારા કવિ સંમેલનનું સફળ આયોજન સંસ્થાના પ્રમુખ કવિ ‘હેમાળવી’ ની નિશ્રા મા કરવા માં આવ્યુ હતું. દર મહિના ના પહેલા રવિવારે સાજે ૪.૦૦ થી ૬.૦૦ સવિતા નગર ખાતે સંપૂર્ણ સોસ્યલ ડીસ્ટન્સ સાથે યોજાયેલા આ કવિ સંમેલન માં કવિઓ શ્રી શશીભાઈ રાજ્યગુરુ કવિ ‘હેમાળવી’, શ્રી સાગરભાઈ ત્રીવેદી, શ્રી નસીમબેન પઠાણ, વર્ષાબેન પંપાણીયા કવિ ‘વાણી’, શ્રી શામજીભાઈ બાબરીયા , તૃપ્તિબેન જોષી વગેરે કવિઓ એ પોતાની કૃતિઓ રજુ કરી હતી. જેમા ગીત, ગઝલ , હાઈકુ, તાન્કા જેવા કાવ્ય પ્રકારો પરની રચનાઓ રજુ થઇ હતી. અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરીવાર દ્વારા દર મહીને બહાર પડતા ‘ગુલમહોર’ સામયિક ના વાર્ષિક અંક અને સ્વ. પ્રતાપભાઈ પંડ્યા ને શ્રધ્ધાંજલી અર્પતા અંકનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. ને અમરેલી જીલ્લા સાહિત્ય સર્જક પરીવારના અમેરીકા સ્થિત પ્રમુખ શ્રી મનીષાબેન પંડ્યા અને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ઉમેશભાઈ જોષી નો આભાર માનવામા આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરીવાર દ્વારા રાજુલા ખાતે નવોદિત કવિઓ લેખકો સર્જકો ને સ્ટેજ મળી રહે તે હેતુ થી સાહિત્યક પ્રવૃત્તિ કવિ ‘હેમાળવી’દ્વારા ચલાવવામા આવી રહેલ છે. આ કવિ સંમેલન ને કવિ જે. પી. ડેર સાહેબ તેમજ કવિશ્રી ઉમેશભાઈ જોષી -રાજકોટ થી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. કવિ સંમેલનનું સંચાલન સાગર ભાઈ ત્રીવેદી એ કર્યુ હતું
સૌરભ સંસ્થાન રાજુલા દ્વારા કવિ સંમેલન યોજાયુ..

Recent Comments