ગુજરાત

અંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લગતા દોડધામપાંચ ફાયર ટેન્કરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

અંકલેશ્વર જીઆઇડીસીની અડીને આવેલા ભડકોદ્રા ગામની સીમમાં બનાવાયેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લગતા વાતાવરણ ઇમરજન્સી વેહિકલના સાયરનોથી ગુંજી ઉઠ્‌યું હતું. ઉલ્લેખનીય છે કે ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે લગતી આગ પર્યાવરણ સામે ચિંતા ઉભી કરી રહી છે.અંકલેશ્વરમાં નોબલ સ્ક્રેપ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લગતા દોડધામ મચી હતી. અંકલેશ્વર ડ્ઢઁસ્ઝ્ર ,પાનોલી નોટીફાયર અને અંકલેશ્વર નગરપાલિકાના પાંચ ફાયર ટેન્કરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાના પગલે અંકલેશ્વર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. બનાવ સંદર્ભે પોલીસ ચોપડે નોંધ કરી આગ લાગવાના કારણની તપાસ શરુ કરવામાં આવી છે. આગની ઘટનાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

Follow Me:

Related Posts