લીલીયા તાલુકાના અંટાળીયા-સાજણટીંબા- હરીપર રોડ પહોળા રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત. ધારાસભ્ય દ્વારા ૧- જુન-૨૦૨૧ના રોજ અંટાળીયા-સાજણટીંબા- હરીપર મંજુર કરાવ્યો હતો જેમાં આ રોડની પહોળાઈ ૩.૭૫ મીટર હતી જે ધારાસભ્ય દ્વારા ૫.૫ મીટર પહોળો કરવા માટે ૨ કરોડને ૨૨લાખ મંજુર મંજુર કરાવ્યો હતા જેથી આજ આ રોજ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ રોડ અને આ રોડ ખુબ જ બિસ્માર હાલતમાં હતો જેથી રાહદારીઓને મુશ્કેલી અનુભવી રહ્યા હતા જેથી હવે ૫.૫ મીટરનો પહોળો રોડ બનશે જેથી લોકોને ખુબ જ ઉપયોગી થશે આ રોડના ખાતમુહૂર્ત આગેવાનો હાજર રહ્યા હતા અને ધારાસભ્યનો આભાર આગેવાનોએ માન્યો હતો.
આગેવાનોએ જણાવ્યું હતું કે અમો લોકોએ ઘણા સમયથી આ રોડ પહોળો અને નવો બનાવવા રજૂઆત કરતા હતા પણ કોઈ અમારી સામે જોતું નહોતું પરંતુ ધારાસભ્ય શ્રી દ્વારા સરકાર શ્રીમાં રજૂઆત કરીને આ રોડ મંજુર કરવામાં આવ્યો અને આ રોડ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ના હસ્તે કરવામાં આવ્યું જેમાં ભીખાભાઈ દેવાણી, સાજાણટીંબા સરપંચ શ્રી દડુભાઈ, દિનેશભાઈ ધોરાજીયા,વિનુભાઈ સોસલીયા, હરીપર ઉપ સરપંચ દિલીપભાઈ કિકાણી, હસુભાઈ ભગવાનભાઈ ગોદાણી. હસુભાઈ કિકાણી, ઉપ સરપંચ સાજણટીંબા, એકલારા સરપંચ શ્રી, સવજીભાઈ મનજીભાઈ કિકાણી, મધુભાઈ ગોબરભાઈ વિરડીયા, મહેશભાઈ ચાગનભાઈ વિરડીયા, જયંતીભાઈ રણછોડભાઈ વેકરીયા, વિનુભાઈ મનજીભાઈ દેવાણી, રાજુભાઈ ધીરુભાઈ કુંડણ વગેરે કાર્યકર્તા હાજર રહ્યા હતા.
Recent Comments