સૌરાષ્ટ - કચ્છ

અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના (રાજકોટ) દ્રારા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના પરીવાર માટે ‘થેલેસેમીયા–ડે’ તા.૮, મે, રવીવાર, સાંજે “આનંદોત્સવ

રાજકોટ  અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના (રાજકોટ) દ્રારા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના પરીવાર માટે ‘થેલેસેમીયા–ડે’ તા.૮, મે, રવીવાર, સાંજે “આનંદોત્સવ’ સૌ થેલેસેમીક બાળકોને પરીવાર સાથે ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ થેલેસેમીયા પીડીત બાળક જય જીતુલભાઈ કોટેચા (હોટેલ યુરોપા ઈન) પરીવારનો સંપૂર્ણ આર્થિક સહયોગ અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) દ્વારા લોહીની વારસાગત, જીવલેણ બિમારી થેલેસેમીયાનો ભોગ બનેલા કુમળા ફૂલ જેવા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના સમગ્ર પરિવાર માટે થેલેસેમીયા-ડે’ રવીવાર, તા. ૮, મે, સાંજે ૫–૦૦ થી ૮–૦૦ કલાકે (સમયસર), ‘લોક વિજ્ઞાન કેન્દ્ર’, બાલભવનની બાજુમાં, આર્ટ ગેલેરીની સામે, રેસકોર્ષ, રાજકોટ ખાતે આનંદોત્સવ” તથા તમામ થેલેસેમીયા પીડીત બાળકો તથા તેમના પરીવારજનો માટે ભોજન સમારોહનું પણ આયોજન કરાયું છે.આ કાર્યક્રમના બધા થેલેસેમીયા પીડીત બાળકોને આમંત્રણનાં સરક્યુલર મોકલાય ગયા છે છતા કોઈને કોઇ કારણસર ન મળ્યા હોય તો પણ આ કાર્યક્રમમાં સૌ થેલેસેમીક બાળકોને પરીવાર સહ સમયસર ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ અપાયું છે. આ આયોજન અંગે સંપૂર્ણ આર્થિક સહયોગ થેલેસેમીયા પીડીત બાળક જય જીતુલભાઈ કોટેચા(હોટેલ યુરોપા ઈન)નાં પરીવારનો મળ્યો છે. લોકવિજ્ઞાન કેન્દ્રના ડો. રમેશભાઈ ભાયાણી કે જેમણે પોતાનું સમગ્ર જીવન આ બાળકોની સેવામાં સમર્પીત કર્યું છે તેઓ પણ સતત આ આયોજનમાં સહકાર આપી રહયાં છે. આ કાર્યક્રમમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, ડો. નિશાંતભાઈ ચોટાઈ તેમજ સમગ્ર ટીમ, સેવાભાવી અગ્રણીઓ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી,  મુકેશભાઈ દોશી, , કલ્પેશ હરીશભાઈ પલાણ, ઉપેનભાઈ મોદી, હસુભાઈ રાચ્છ, ડો. રવી ધાનાણી, , હિમાંશુભાઈ માંકડ, વિનયભાઈ જસાણી સહીતનાઓની શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે, અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાના સુપ્રિમો અને જૂનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, માર્ગદર્શક મંડળના પદુભાઈ રાયચુરા, મહામંત્રીઓ કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયા અને જગદીશભાઈ જોબનપુત્રા તેમજ સમગ્ર ટીમ વિવિધ મહાજનો—શાંતિ સંસ્થાઓના સથવારે રહીને “થેલેસેમીયા મુકત રઘુવંશ” ની દિશામાં સતત પ્રયત્નો કરી રહયાં છે.સમગ્ર આયોજન અંગે અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના રાજકોટનાં પ્રમુખ મિતલ ખેતાણી, થેલેસેમીયા સમિતીના અધ્યક્ષ જીતુલભાઈ કોટેચા, ડો. રમેશભાઈ ભાયાણી, જનકભાઈ કોટક, ભરતભાઈ કોટક, દિપકભાઈ રાજાણી, ગૌરાંગભાઈ ઠકકર, નલીનભાઈ તન્ના, ચંદુભાઈ રાયચરા, સંજયભાઈ કકકડ અને કનભાઈ હિંડોચા,સુરેશભાઈ બાટવીયા, હિતેષભાઈ ખખ્ખર (બાલાજી), શ્રીમતી દીપાબેન જીતુલભાઈ કોટેચા, જયના કોટેચા, ધર્મેશભાઈ કકકડ, બાલાભાઈ સોમૈયા, ચેતનભાઈ ગણાત્રા, રાજેશભાઈ કારીયા, મનુભાઈ મીરાણી, ઘીરેન્દ્રભાઈ કાનાબાર, કિરીટભાઈ કેસરીયા, દિપેનભાઈ ઠકકર, સ્મિત રાજવીર, યુવા પાંખના અધ્યક્ષ હિરેન વડેરા તથા પાર્થ ધામેચા, મિત્સુ ઠકરાર, સાગર તન્ના, દિપન ઠકકર, ગૌરવ બોદાણી વિગેરે જહેમત ઉઠાવી રહયાં છે. વિશેષ માહિતી માટે અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ)નાં પ્રમુખ મિતલ ખેતાણી (મો.નં. ૯૮૨૪૨ ૨૧૯૯૯), જીતુલભાઈ કોટેચા (મો.૯૩૭૪૧ ૫૪૦૦૦) તથા વિવેકાનંદ યુથ કલબનાં અનુપમભાઈ દોશી (મો.નં. ૯૪૨૮૨ ૩૩૭૯૬) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Posts