અતિ ભારે વરસાદની સ્થિતિ આવે તો તેવા વખતે શેલ્ટર હોમમાં સ્થળાંતર થવા તેમજ નાગરિકોને સુરક્ષિત રહેવા સાવચેતીના પગલાં ભરવા અંગે વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા અનુરોધ કરવાની સાથે વિવિધ બાબતોનું માર્ગદર્શન આપવામાં આવે છે. અમરેલી જિલ્લામાં આવેલા વરસાદને પગલે દરિયાઈ વિસ્તારમાં નાગરિકોને સાવચેત રહેવાના આગોતરા પગલાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. રાજુલા તાલુકા મામલતદારશ્રી તથા રાજુલા તાલુકા મામલતદાર કચેરીના કર્મયોગીશ્રીઓ દ્વારા રાજુલા તાલુકાના દરિયાઈ પટ્ટીના ગામની મુલાકાત લેવામાં આવી હતી.
રાજુલા તાલુકાના ચાંચ, ખેરા અને પટવા સહિતના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત કરી તે વિસ્તારના ગ્રામજનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. ગામમાં અતિ ભારે વરસાદની સ્થિતિ આવે તો તે વખતે શેલ્ટર હોમમાં સ્થળાંતરિત થવા અને નાગરિકોને સુરક્ષિત રહેવા બાબતે અનુરોધ કરવામાં આવ્યો હતો. તે સાથે ટીમ દ્વારા કોઝ – વેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમ રાજુલા તાલુકા મામલતદાર શ્રીએ જણાવ્યુ છે.
Recent Comments