અમરેલી

અત્યંત પછાત ચમાર જ્ઞાતિમાંથી શિક્ષણનાં બળે આગળ આવી .. ડોક્ટરેટની પદવી હાંસલ કરતી , દર્શિતા…

છેલ્લા કેટલાક વર્ષોથી શૈક્ષણિક ક્ષેત્રે સાવરકુંડલા શહેરને પોતાનું કાર્યક્ષેત્ર બનાવેલ અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામના વતની દર્શિતા ઉકાભાઇ મકવાણા હાલ સનરાઇઝ હાયર સેકન્ડરી સ્કૂલમાં ફરજ બજાવે છે. બાપ દાદાનો મૂળ વ્યવસાય તો ચામડું કમાવવાનો પરંતુ દર્શિતાનાં બાપુજીને બાળપણથી જ શિક્ષણનું મહત્વ સમજાય ગયેલ એટલે પોતે પ્રાથમિક શિક્ષક બન્યા અને દર્શિતાનાં મમ્મી પણ પ્રાથમિક શાળામાં શિક્ષક એટલે જાણે શિક્ષણ વારસામાં મળ્યું . ત્રણ ભાઈ બહેનો માં સૌથી નાની દર્શિતાએ પ્રાથમિક થી કોલેજ સુધીનું શિક્ષણ સુરેન્દ્રનગર અને એમ.એ.બી. એડ . રાજકોટ તથા એમ . એડ . અમરેલીથી કર્યું . ત્યારબાદ પી.એચ.ડી.ની ડિગ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થી , જેતપુર નાં સિનિયર પ્રોફેસર ડો . ગીતાબેન એન . લગધિર નાં માર્ગદર્શન નીચે A Psychological Study of Frustration Health And Adjustment Among Women And House Wives . નોકરી કરતી અને ગ્રહીણીઓ ની હતાશા , માનસિક સ્વાસ્થ્ય અને સમાયોજન નો એક મનોવૈજ્ઞાનિક અભ્યાસ વિષય ઉપર મહાનિબંધ લખી ડોક્ટરેટ ની ઉપાધી પ્રાપ્ત કરી છે માટે હવે દર્શિતા … ડો . દર્શિતા તરીકે ઓળખાશે . મોટોભાઈ વિજય એડવોકેટ અને મોટી બહેન અરુણા શિક્ષણ થી પછાત નો ઉત્કર્ષ પ્રોજેક્ટ માં પ્રોજેકટ ઓફિસર તરીકે સેવા બજાવે છે . આ સમગ્ર પરિવારે સાબિત કરી આપ્યું છે કે , વર્તમાન સમયમાં શિક્ષણ એકજ એવું સાધન છે કે પછાત માં પછાત અને અત્યંત છેવાડા નાં માનવીને પણ સફળતાનાં શિખરો ઉપર બેસાડી શકે છે . આ તબક્કે સનરાઇઝ સ્કૂલનાં મેનેજિંગ ટ્રસ્ટી પ્રતાપભાઇ ખુમાણ અને પ્રિન્સિપાલ સોનલબેન મશરુ દ્વારા ડો . દર્શિતા મકવાણા નું બહુમાન કરવામાં આવ્યું હતું .Attachments area

Related Posts