અમરેલી

અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૨૫ ઓક્ટોબરે રોજગાર ભરતી મેળો યોજાશે

 અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૨૫ ઓક્ટોબર, ૨૦૨૪ને શુક્રવારના રોજ સવારે ૧૧ વાગ્યે ઔદ્યોગિક તાલીમ સંસ્થા,આઇ.ટી.આઇ કેમ્પસ સાવરકુંડલા ખાતે ભરતી મેળાનું આયોજન છે. ભરતી મેળામાં સનરાઈઝ એનટરપ્રાઇઝ રાજુલા દ્વારા હેવીટ્રક ડ્રાઈવરની જગ્યા માટે ૨૦ થી ૫૦ વર્ષની વય મર્યાદા તેમજ ઓછામાં ઓછુ  ધો.૮ પાસ ની શૈક્ષણિક લાયકાત આવશ્યક છે. એલ.આઈ.સી. સાવરકુંડલા દ્વારા એમ.ડી.આર.ટી એજ‍‍ન્સી (ફાઈનાન્સિયલ કનસલટ‍ન્ટ)   ની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ધો.૧૨ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઈચ્છુકો અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરી પોર્ટલ જોબફેરના મેનુમાં ક્લીક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકાશે. ભરતીમેળામાં ભાગ લેવા માટે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે જોબસીકર તરીકે નોંધાણી કરાવવી ફરજિયાત છે. આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts