ગુજરાત

અમદાવાદનાં રેલ્વે સ્ટેશનમાં એક રેલ્વે એન્જિનિયરએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

અમદાવાદમાં રેલ્વે એન્જિનિયરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. મણિનગર રેલ્વે ક્રોસિંગ પાસે આપઘાત કર્યો છે. આપઘાતના લાઇવ સીસીટીવી ફૂટેજ આવ્યા છે. આત્મહત્યા કરનાર રેલ્વેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. તેણે જામનગર હમસફર ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. અમદાવાદમાં રેલ્વે એન્જિનિયરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. મણિનગર રેલ્વે ક્રોસિંગ પાસે આપઘાત કર્યો છે. આપઘાતના લાઇવ સીસીટીવી ફૂટેજ આવ્યા છે. આત્મહત્યા કરનાર રેલ્વેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો.

તેણે જામનગર હમસફર ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. અને મણિનગરમાં ઝ્રદ્ગૈં ચર્ચની સામે આવેલી રાજશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. અશ્વિનભાઈ ગુરુવારે બપોરે ૩ થી રાતના ૧૧ વાગ્યા સુધી ફરજ બજાવી હતી. શુક્રવારે તેમની રજા હોવાથી ઘરે જ હતા. ત્યારે આજરોજ સવારના ૭ વાગ્યાના મણિનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન નીચે સુઈ આપધાત કર્યો હતો. ત્યારે આ દરમિયાન ઉપસ્થિત લોકો પણ હચમચી ગયા હતા.

ફાટક પાસે વાહનચાલકો ઉભા હતા ત્યારે જ અશ્વિન રાઠો ફાટક પાસે આગળ આવ્યા અને ટ્રેનની સામે જ સૂઈ ગયા હતા. આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં થઈ કેદ થઇ હતી. ત્યારે આ ઘટનાને લઇ મણિનગર પોલીસે ગુનો નોંધી આપઘાત પાછળના કારણની તપાસ શરૂ કરી. હવે તેમણે આત્મહત્યા શા માટે કરી તેની પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ પાછળ પારિવારિક વિવાદ છે કે કોઈ નોકરીમાં તકલીફ છે તેની પાછળના કારણોની તપાસ પોલીસે આરંભી છે. આ માટે પોલીસે મૃતકનો સેલફોન કબ્જામાં લીધો છે.

Related Posts